બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 01:38 PM, 3 September 2023
ADVERTISEMENT
હિંદુ ધર્મમાં ચતુર્થી ભગવાન ગણેશને સમર્પિત છે. આજે ભાદ્રપદ મહિનાની કૃષ્ણપક્ષની ચોથ છે. કૃષ્ણ પક્ષની ચોથને સંકષ્ટી ચોથ અને શુક્લ પક્ષની ચોથને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. વિશેષરૂપે ભગવાન ગણેશની પૂજા અર્ચના ચોથના દિવસે કરવામાં આવે છે. વિધ્નહર્તા ગણેશ જીવનના તમામ કષ્ટ દૂર કરે છે અને અપાર સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ સાબિત થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે ખૂબ જ ખાસ
મેષ- આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. ચારેય બાજુથી સફળતા મળી શકે છે. પરિસ્થિતિમાં તમારા માટે અનુકૂળ રહેશે, જેના કારણે તમારા કામ બનવા લાગશે. અંગત જીવનમાં ખુશી જળવાઈ રહેશે.
ADVERTISEMENT
મિથુન- આ રાશિના જાતકો માટે નાણાંકીય યોગ બનશે. તમારા જીવનમાં આર્થિક પ્રગતિ થશે. કરિઅર અને કારોબારમાં લાભ થશે. તમે જરૂરી કામ ઝડપથી પૂર્ણ કરશો, વિભિન્ન ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરશો.
સિંહ- ભાગ્યબળમાં વૃદ્ધિ થશે અને કામમાં સફળતા પ્રાપ્ત થશે. પ્રોફેશનલ કામ થશે તથા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. પરિસ્થિતિઓમાં સુધારો થશે. કામમાં જે પણ અડચણ આવી રહી છે, તે દૂર થશે. કોઈ સારા સમાચાર મળી શકે છે.
તુલા- સમય પહેલા કરતા વધુ સારો બની રહ્યો છે, તમારા માટે લાભનો યોગ બની રહ્યો છે. જીવનમાં સુખ સુવિધામાં વધારો થશે. તમે ખુશ રહેશો, પરિવારમાં શુભ કાર્યો થશે. ભૂમિ અને ભવન સાથે સંબંધિત કામ ઝડપથી થશે અને લાભ પણ થશે. જીવનમાં પ્રેમ તથા વિશ્વાસમાં વૃદ્ધિ થશે.
મકર- પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. એક પછી એક ઉપલબ્ધિઓ મેળવી શકશો. ભૌતિક સુખમાં વૃદ્ધિ કરતી વસ્તુ મળશે અને સારા પ્રસ્તાવ મળશે.
મીન- ઘરમાં ખુશીનો માહોલ રહેશે. ગણપતિ બપ્પાની કૃપાથી વિધ્ન દૂર થશે અને રાહત મળશે. જીવન સ્તર સારું રહેશે. તમારી વાણી અને વર્તનથી લોકો તમારી તરફ આકર્ષિત થશે. મહત્ત્વપૂર્ણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૂર્યગ્રહણ 2025 / માર્ચમાં આ દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.