બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Anticipation against calamity: How Gujarat coped with the desperation of ``Biporjoy''? How was the relief operation?
Vishal Khamar
Last Updated: 08:40 PM, 16 June 2023
બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઈ ગયું અને તેની અસરો પણ વર્તાઈ રહી છે. આ વખતે સરકાર અને તેનું તંત્ર અભિનંદનને પાત્ર બને છે કારણ કે જે વાવાઝોડાની ભયાવહતાની સતત વાતો થઈ રહી હતી તે વાવાઝોડું ગુજરાતને જયારે ટકરાયું ત્યારે ઓછામાં ઓછુ નુકસાન થયું તે માટે સરકાર પહેલેથી તૈયારી કરી ચુકી હતી.
બિપોરજોયથી તો બચી ગયા ત્યારે હવે પછીના પડકાર શું?
જયાં વાવાઝોડાની શક્ય વધુ અસર થવાની હતી તે વિસ્તારમાંથી અસરગ્રસ્તોનું સ્થળાંતર હોય કે પછી વીજ પુરવઠાને લગતી કામગીરી હોય, તંત્રએ ટેકનોલોજી, નાગરિકોના સહકાર અને એકંદરે સચોટ આપદા પ્રબંધન નીતિઓને કારણે સફળતા મેળવી. બિપરજોય વાવાઝોડાની આફત ગુજરાત ઉપરથી ઉતરી ચુકી છે હવે વાવાઝોડા પછીની અસર અને આગામી દિવસોમાં થનારા વરસાદ પછીની કામગીરી હવે મુખ્ય રહેશે. હવે સવાલ એ છે કે બિપરજોયથી તો બચી ગયા ત્યારે હવે પછીના પડકાર શું. આપદાની આ સ્થિતિમાં રાહત કામગીરી કેવી રહી, આફત સામે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે એવું ફરી વાર સાબિત થયું અને હવે તમામે આ જ વાતને બ્રહ્મવાક્ય તરીકે સ્વીકારી લેવી જોઈએ કે કેમ?
આફત સામે અગમચેતીએ બચાવ્યા
ગુજરાત ઉપર બિપોરજોય ચક્રવાત ટકરાવાનું નક્કી હતું. આવા સમયે સરકારની આપદા પ્રબંધન નીતિ કામ આવી છે. આફતની સામે પૂર્વ તૈયારીએ બિપોરજોયની ભયાવહતાને ખાળી શકાઈ છે. ટેકનિકલ કામગીરમાં પણ અનેક સુધારા થયા છે. કેન્દ્ર અને રાજ્યની ટીમે નાગરિકોની શક્ય તમામ મદદ કરી છે.
કેટલા લોકોનું સ્થળાંતર થયું?
કચ્છ |
34300 |
જામનગર |
10000 |
મોરબી |
9243 |
રાજકોટ |
6089 |
દેવભૂમિ દ્વારકા |
5035 |
જૂનાગઢ |
4604 |
પોરબંદર |
3469 |
ગીર-સોમનાથ |
1605 |
`બિપરજોય'થી બચ્યા હવે શું પડકાર?
સ્થળાંતરીત કરાયેલા લોકોનું પુનવર્સન કરવું. તેમજ ખોરવાયેલો વીજ પુરવઠો સંપૂર્ણ પૂર્વવત કરવો. બંધ થયેલા રસ્તા ફરી શરૂ કરવા. તેમજ અસરગ્રસ્તોને કેશડોલની ચૂકવણી કરવી.
`બિપરજોય'થી શું નુકસાન થયું?
બિપરજોય વાવાઝોડાની કચ્છ, દ્વારકામાં વધુ અસર થઈ છે. ભુજ-માંડવી હાઈ-વે ઉપર પાણી ફરી વળ્યા છે. તેમજ હાઈ-વે ઉપરના વાહનવ્યવહારને અસર પહોંચી છે. સેંકડો કાચા મકાનોના પતરા ઉડી ગયા છે. રસ્તા ઉપર અનેક વૃક્ષ પડી ગયા છે. અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે. માંડવી પોસ્ટઓફિસ કચેરીમાં પાણી ઘૂસી ગયા છે. દ્વારકામાં અનેક જગ્યાએ અંધારપટ છવાયો છે. જખૌ પોર્ટ ઉપર વ્યાપક નુકસાન થયું છે. જખૌ પોર્ટની અનેક દિવાલ ધરાશાયી થઈ છે. દ્વારકામાં અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. માંડવીમાં પણ ખેતર અને મકાનોમાં પાણી ભરાયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ