બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Priyakant
Last Updated: 08:18 AM, 24 December 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા ગ્રૂપ વચ્ચે તાણખેંચ શરૂ થઈ હતી. જે દિવસેને દિવસે વકરી રહી છે. તેવામાં તાજેતરમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મહાસંમેલન થકી રીબડામાં શક્તિપ્રદર્શન કર્યું હતું. રીબડા ખાતે આવેલ હકાભાઈ ખૂંટની વાડીમાં મહાસંમેલન યોજાયું હતું. આ તરફ હવે ગોંડલના જયરાજસિંહ જાડેજા, રીબડાના અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાનના પ્રયાસ થઈ રહ્યા છે. આગામી દિવસોમાં વિવાદ વધુ ન વકરે તે માટે ક્ષત્રિય આગેવાનો દ્વારા આ પ્રયાસ શરૂ કરાયો છે.
જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાનના પ્રયાસ
ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે હવે ક્ષત્રિય આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસ શરૂ થયા છે. વિગતો મુજબ સૌરાષ્ટ્ર ભરના ક્ષત્રિય યુવાનોના મહાસંમેલનનું આયોજન થશે. નોંધનીય છે કે, સરદાર પટેલ ગ્રુપે જયરાજસિંહ જાડેજાનો સન્માન સમારોહ પણ યોજ્યો હતો. જેમાં 'રીબડામાં એ લોકોની દાદાગીરી નહીં ચાલે'.તેવો જયરાજસિંહે હુંકાર કર્યો હતો.
શું કહ્યું આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજના પ્રમુખે ?
જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાનના પ્રયાસ માટે હવે ક્ષત્રિય આગેવાનો મેદાને પડ્યા છે. આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજના પ્રમુખ પીટી જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બંને આગેવાનો ગુજરાતના ક્ષત્રિય સમાજનું ઘરેણું છે. તેઓ વડીલ તરીકે મારી વાત નહીં માને તો અચોક્કસ મુદતના ઉપવાસ કરીશ. મહત્વનું છે કે, પીટી જાડેજા એ સોશિયલ મીડિયામાં અલગ અલગ 5 વીડિયો પોસ્ટ કર્યા છે.
નોંધનીય છે કે, જયરાજસિંહે મહાસંમેલનમાં સમાજને એક થઇને રહેવાની હાંકલ કરી હતી. વધુમાં યુવાનોને ગામના કેટલાક માથાભારે શખ્સો સામે લડવાનું પણ આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત જયરાજસિંહે અન્યાય ન કરવા અને અન્યાય સહન ન કરવાનું સૂત્ર પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, રીબડા ગામમાં પટેલ સમાજ સાથે જમીનો સહિત અન્ય પ્રશ્નો અન્યાય થઈ રહ્યો છે અને વાત વાતમાં લોકોને મારવા અને ધમકાવવાની પ્રવૃતિ થાય છે જે દાદાગીરી અયોગ્ય હોવાનું પણ તેઓએ કહ્યું હતું. ઉપરાંત લોકોને ખાતરી આપતા કહ્યું કે, ગામમાં વધતી દાદાગીરી હું ચલાવી લઈશ નહિ. હું રીબડા ગામનો પ્રશ્ન હલ કરીને જ ઝંપીશ તેમ અંતમાં જયરાજસિંહએ ઉમેર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir