બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
Priyakant
Last Updated: 03:26 PM, 23 April 2023
અમૃતપાલ સિંહની ધરપકડ બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, હું પંજાબના 3.5 કરોડ લોકોને આશ્વાસન આપું છું કે, પંજાબમાં શાંતિ છે. અમૃતપાલનું નામ લીધા વિના ભગવંત માને કહ્યું કે, તેઓ આ બાબતથી સંપૂર્ણપણે વાકેફ છે. હું ગઈ રાત્રે આખી રાત સૂતો નહોતો, દર 15 મિનિટે અપડેટ્સ મેળવતો હતો, કારણ કે હું કોઈ ખૂનખરાબો ઇચ્છતો ન હતો. પરંતુ મને પંજાબ માટે ઊંઘ ગુમાવવાનો કોઈ અફસોસ નથી.
ભગવંત માને કહ્યું કે, 18 માર્ચે પણ અમૃતપાલની ધરપકડ થઈ શકી હોત પરંતુ ગોળી ચલાવવી પડત, તેથી પંજાબ પોલીસે ખૂબ સંયમ રાખ્યો હતો. તેણે સમગ્ર ઓપરેશન માટે પંજાબ પોલીસની પીઠ થપથપાવી હતી. CM માને કહ્યું કે, દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. ભગવંત માને કહ્યું કે, AAP સરકાર લોકોની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા માટે કામ કરી રહી છે અને તે અમારી જવાબદારી અને ફરજ છે.
"Action will be taken against those who try to disrupt peace and law..," Punjab CM on Amritpal's arrest
— ANI Digital (@ani_digital) April 23, 2023
Read @ANI Story | https://t.co/FPgUaeRGRY#Bhagwantmann #PunjabCM #AmritpalSingh #PunjabPolice #Punjab #WarisPunjabDe pic.twitter.com/prce9YkCMr
મહત્વનું છે કે, પંજાબ પોલીસે આખરે 36 દિવસ પછી અમૃતપાલ સિંહની ધરપકડ કરી છે. ખાલિસ્તાન સમર્થકને પોલીસે મોગાના ગુરુદ્વારામાંથી કસ્ટડીમાં લીધા બાદ તેની ધરપકડ કરી હતી. ભાગેડુની પત્ની કિરણદીપ કૌરને ત્રણ દિવસ પહેલા ગુરુવારે (21 એપ્રિલ) અમૃતસર એરપોર્ટ પર રોકવામાં આવી હતી.
#WATCH | Punjab CM Bhagwant Mann says, "...It had been 35 days. Today #AmritpalSingh was arrested. Action will be taken against those who try to disrupt the country's peace and law. We will not disturb any innocent person. We don't do vendetta politics..." pic.twitter.com/knUNPhDNCy
— ANI (@ANI) April 23, 2023
અમૃતપાલના તમામ સાથીઓની ધરપકડ થઈ ચૂકી છે. તેના સાથીદારોની સતત પૂછપરછ કરવામાં આવી રહી હતી. એવું માનવામાં આવે છે કે પોલીસે તેની પત્ની પર દબાણ શરૂ કર્યા પછી જ તે પણ કસ્ટડીમાં આવ્યો. અમૃતપાલને ડિબ્રુગઢ જેલમાં મોકલી શકાય છે. જ્યારે તે ફરાર હતો ત્યારે તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેકવાર વીડિયો જાહેર કર્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army