બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / Amit Shah in loksabha said we are going to change 3 criminal justice law of india, now dawood ibrahim criminals will be punished in court
Vaidehi
Last Updated: 10:15 AM, 12 August 2023
હવે ભારતથી ભાગીને ગુનેગાર દુનિયાનાં કોઈ પણ ખૂણામાં છૂપાઈ જાય પરંતુ ગાયબ થઈ જવા પર ભારતમાં સજા તો થશે જ! અને તેના માટે દેશમાં એક નવો કાયદો પણ આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આપણાં નવા કાયદામાં પ્રાવધાન છે કે દાઉદ કે કોઈપણ ભાગેડુ દુનિયાનાં કોઈપણ ખૂણામાં હશે, તેની ગેરહાજરીમાં પણ કોર્ટમાં સુનાવણી થશે અને સજા પણ સંભળાવવામાં આવશે.
ભાગેડુની ગેરહાજરીમાં પણ ટ્રાયલ ચાલુ રહેશે
અમિત શાહે કહ્યું કે," અમે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે અને એ છે ગેરહાજરીમાં પણ ટ્રાયલ કરવાનો.. અનેક મામલામાં દાઉદ ઈબ્રાહિમ wanted છે. તે દેશ છોડીને ભાગી ગયો છે તેથી તેના પર ટ્રાયલ નથી થઈ શકતું. આજે અમે નક્કી કર્યું છે કે સેશન કોર્ટનાં જજ યોગ્ય પ્રક્રિયા બાદ જેને ભાગેડુ ઘોષિત કરશે તેની ગેરહાજરીમાં પણ ટ્રાયલ થશે અને તેને સજા પણ સંભળાવવામાં આવશે. "
3 કાયદાઓમાં ફેરફાર કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહમંત્રીએ આગળ કહ્યું કે," કોઈપણ આરોપીને જો સજાની સામે અપીલ કરવી હોય તો તેને ભારત આવવું પડશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે 3 નવા બિલ લાવ્યાં છે. IPC 1860,CRPC 1898 અને ઈન્ડિયન એવિડેંસ એક્ટ 1872- આ ત્રણ અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલ કાયદાઓ હતાં. અમિત શાહે કહ્યું કે 1860થી 2023 સુધી દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલી અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ અનુસાર કામ કરતી રહી પરંતુ હવે 3 કાયદાઓ બદલવામાં આવશે અને દેશમાં ક્રમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મોટો બદલાવ આવશે."
સામાન્ય માણસ આ નવા કાયદાનાં કેન્દ્રમાં રહેશે- શાહ
તેમણે કહ્યું કે," હવે અમે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા બિલ 2023, ભારતીય એવિડેન્સ બિલ 2023 અને ભારતિય નાગરિક સુરક્ષા સંહિતા બિલ લાવી રહ્યાં છીએ. તેનો ઉદેશ્ય સૌને ન્યાય આપવાનો છે. હું સદનને આશ્વાસન આપું છું કે તેનાથી લોકોને ન્યાય મળવામાં સરળતા રહેશે. બિલને સ્ટેંડિંગ કમિટીમાં મોકલવામાં આવી રહ્યું છે. સામાન્ય માણસ આ નવા કાયદાનાં કેન્દ્રમાં રહેશે." શાહે કહ્યું કે,' PM મોદીએ 2019માં કહ્યું હતું કે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓને આજના હિસાબે બનાવવામાં આવશે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army