બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / After Chandryaan 3 successful landing, Odisha some of the parents have thought to name their New Born Babies after chandrayaan
Vaidehi
Last Updated: 06:54 PM, 24 August 2023
ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગની ઊજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ભારત સહિત દુનિયાનાં તમામ લોકો ઈસરોને આ સફળતા બદલ વધામણી આપી રહ્યાં છે. તેવામાં ચંદ્રયાન-3નાં લેન્ડિંગ સમયે ઓડિશામાં પણ એક ખુશ કરી દેનારી ઘટના બની. અહીં એક હોસ્પિટલમાં જન્મનારા બાળકોનું નામ ચંદ્રયાન રાખવાની વાત કરવામાં આવી.
નવજાત શિશુઓનું નામ ચંદ્રયાન પરથી રાખશે...
ઓડિશાનાં કેન્દ્રપાડા જિલ્લાની હોસ્પિટલમાં જન્મેલા અનેક બાળકોનાં પરિવારજનો તેમનું નામ ચંદ્રયાન રાખવાની વાત કરી રહ્યાં છે. 23 ઑગસ્ટની સાંજે હોસ્પિટલમાં 4 બાળકોનો જન્મ થયો જેમાં 3 છોકરાં અને 1 બાળકી હતી. હવે ચંદ્રયાનની સફળતાથી ખુશ થઈને બાળકોનાં માતા-પિતા તેમનું નામ 'ચંદ્રયાન' રાખવા ઈચ્છે છે.
શું બોલ્યાં પરિવારજનો?
ચાર બાળકોમાંથી એકનાં પિતા પ્રવત મલિકે કહ્યું કે ચંદ્રયાનની સફળતા અને અમારા બાળકોનો જન્મ અમારા માટે બમણી ખુશીનો ઉત્સવ છે. ચંદ્રયાનની સફળતાની કેટલીક મિનીટ બાદ જ અમારા બાળકનો જન્મ થયો. અમે બાળકનું નામ આ ચંદ્ર અભિયાન પર રાખવાનો નિર્ણય કર્યો છે. તો એક અન્ય બાળકની માતા રાનૂએ કહ્યું કે ઘરનાં વડીલોને બાળકોનું નામ ચંદ્રયાનનાં નામ પરથી રાખવા અંગે વાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે બાળકનું નામ ચંદ્ર અથવા લૂના પણ થઈ શકે છે કારણકે ચંદ્રયાનનો અર્થ ચંદ્ર પર લઈ જતું વાહન થાય છે.
ક્યારે રાખવામાં આવશે નામ?
બાળકોના માતા-પિતાએ કહ્યું કે અમારા બાળકોનાં જન્મનાં 21માં દિવસે પૂજા બાદ તેમનું નામકરણ કરવાની પ્રથા છે. અમે 21માં દિવસે પૂજામાં આ વિશે નિર્ણય લેશું. કેન્દ્રપાડા હોસ્પિટલની મુખ્ય નર્સ અંજના સાહૂએ કહ્યું કે,' આ તમામ માતાઓ પોતાના બાળકોનું નામ ચંદ્રયાન પર રાખવા ઈચ્છે છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army