બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / 30-years of India-Israel friendship: PM Modi says 'time to set new goals' to take forward ties
Hiralal
Last Updated: 10:12 PM, 29 January 2022
ભારત સરકારે ઈઝરાયલ પાસેથી પેગાસસ ખરીદ્યું હોવાના એક વિદેશી અખબારના રિપોર્ટ બાદ દેશમાં રાજકીય ઘમાસાણ મચ્યું છે. પેગાસસ પર મચેલા રાજકીય ઘમાસાણની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ ઈઝરાઈલ સાથે સાડા ત્રણ મિનિટ સંવાદ સાધ્યો. આજે ભારત અને ઈઝરાઈલ વચ્ચેના સંબંધોને 30 વર્ષ પૂર્ણ થયા આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ સાડા ત્રણ મિનિટનું ભાષણ આપ્યું પણ તેમાં પેગાસસનો કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નહોતો.
Today, when the world is witnessing important changes, the importance of India-Israel relations has increased even more. I'm fully confident that the India-Israel friendship will achieve new milestones in mutual cooperation in the coming decades: PM Narendra Modi https://t.co/BFMMtrqG8s
— ANI (@ANI) January 29, 2022
યહૂદી સમુદાયે ભારતીય સમાજમાં ઘણું યોગદાન આપ્યું
મોદીએ કહ્યું હતું કે, આજે આપણા સંબંધોમાં એક વિશેષ દિવસ છે. 30 વર્ષ પહેલા આજના જ દિવસે આપણી વચ્ચે રાજદ્વારી સંબંધો સંપૂર્ણપણે સ્થાપિત થયા હતા. બંને દેશો વચ્ચે એક નવા અધ્યાયની શરૂઆત થઈ. આપણા લોકો વચ્ચે સદીઓથી ગાઢ સંબંધ રહ્યો છે કારણ કે ભારતનું મૂલ્ય પ્રકૃતિ છે કે સેંકડો વર્ષોથી આપણો યહૂદી સમુદાય ભારતીય સમાજમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના સુમેળભર્યા વાતાવરણમાં રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, "અત્યારે જ્યારે દુનિયામાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યાં છે. ભારત અને ઇઝરાયલના સંબંધોનું મહત્વ વધુ વધ્યું છે. પારસ્પરિક સહકાર માટે નવા લક્ષ્યાંકો નક્કી કરવાની આનાથી વધુ સારી તક કઈ હોઈ શકે? મને વિશ્વાસ છે કે ભારત-ઇઝરાયલની મિત્રતા આવનારા દાયકાઓમાં પરસ્પર સહયોગના નવા રેકોર્ડ સર્જતી રહેશે.
આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચે સહકાર વધશે.
30 વર્ષ પહેલા આજના જ દિવસે ભારત અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધો સંપૂર્ણપણે સ્થાપિત થયા હતા. ભારતે 17 સપ્ટેમ્બર, 1950ના રોજ ઇઝરાયલને માન્યતા આપી હતી. જો કે 29 જાન્યુઆરી, 1992ના રોજ બંને દેશો વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા હતા. ત્યારથી, બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો બહુઆયામી વ્યૂહાત્મક ભાગીદારીમાં વિકસિત થયા છે.
The history of the relationship between our countries is very old. There has been a strong relationship between the people of India and Israel for centuries: PM Modi on the occasion of 30 years of establishment of diplomatic relations with Israel pic.twitter.com/4PG6il46Ns
— ANI (@ANI) January 29, 2022
ઈઝરાયલી જાસૂસી સોફ્ટવેર પેગાસસ ફરી ચર્ચામાં
અમેરિકી અખબારના રિપોર્ટ બાદ દેશની રાજનીતિ ગરમઈ છે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સનો રિપોર્ટ છે કે ભારતે 2017માં ઈઝરાઈલની સાથે 15 હજાર કરોડ રુપિયમાં પેગાસસ જાસૂસી સોફ્ટવેર અને બીજા રક્ષા સોદા કર્યાં હતા. ત્યારે મોદી ઈઝરાયલ ગયા હતા. જોકે આજના ભાષણમાં પીએમ મોદીએ પેગાસસનો કોઈ ઉલ્લેખ ન કર્યો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir