બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 peoples committed suicide of the one family in Bhrugupur village surendranagar

આત્મહત્યા / સુરેન્દ્રનગરના ભુગુપુરમાં એક જ કુટુંબના 3 લોકોએ જીવન ટૂંકાવતા અરેરાટી, મૈત્રી કરારમાં પરિવાર વેરવિખેર, જુઓ શું છે સમગ્ર ઘટના

Dhruv

Last Updated: 08:43 AM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના ભુગુપુરમાં એક જ પરિવારના 3 લોકોએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં ભારે માતમ છવાઇ ગયો છે. ગ્રામજનો પણ ભારે શોકમગ્ન થઇ ગયા છે.

  • સુરેન્દ્રનગરના ભુગુપુરમાં એક જ પરિવારના 3 લોકોનો આપઘાત
  • મૈત્રી કરારમાં પરિવાર વેરવિખેર થઇ ગયો હોવાનો આક્ષેપ
  • પોલીસે આરોપીને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભુગુપુર ગામના એક જ પરિવારના 3 લોકોએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ ઘટનામાં અમદાવાદની યુવતી સાથે મૃતક યુવકે મૈત્રી કરાર કર્યા હતા. આથી મૈત્રી કરાર બાદ યુવક અને તેના પરિવારને માનસિક ત્રાસ અપાતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી માનસિક ત્રાસને લઈ યુવક અને તેની માતાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આ સાથે પિતરાઈ ભાઈને પણ આ મામલે લાગી આવતા તેઓએ પણ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી.

ભુગુપુર ગામ

માનસિક ત્રાસ મામલે મૃતક યુવકે પોલીસમાં અરજી પણ કરી હતી
તમને જણાવી દઇએ કે, માનસિક ત્રાસ મામલે મૃતક યુવકે પોલીસમાં અરજી પણ કરી હતી. તમામના મૃતદેહને ચુડાના ભુગુપુર ગામે લાવવામાં આવ્યા હતા. પરંતુ ભુગુપુર ગામે પરિવારજનોએ મૃતદેહ ન સ્વીકારતા પોલીસે આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પિતરાઈ ભાઈની આત્મહત્યાનું કારણ જાણવા અંગે પણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવાને અમદાવાદમાં રહેતી યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા
વધુમાં જણાવી દઇએ કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભૃગુપુર ગામમાં બનેલા આ બનાવ પાછળ મૃતક યુવકે કરેલા મૈત્રી કરાર જવાબદાર હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. મૃતક યુવાને અમદાવાદમાં રહેતી યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તેઓ સાથે રહેતા હતા. આથી મૃતકના પત્ની અન્ય યુવક સાથે ભાગી ગયા બાદ મૃતક યુવકે અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરી રહેતા હતા. આ વાત યુવતીના પરિવારજનોને પસંદ ન હતી આથી તેઓ અવારનવાર મૃતક યુવકના ઘરે આવતા અને ઝઘડો કરતા. આ સિલસિલો સતત ચાલુ રહેતા અંતે યુવક અને તેની માતાએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. બાદમાં યુવક અને તેની માતાએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કર્યાના 24 કલાકમાં જ તેના પિતરાઈ ભાઇએ પણ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ