બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 13 priests burnt in fire at Mahakaleshwar temple in Ujjain

ઉજ્જૈન / પૂજારી પર છાંટેલો ગુલાલ દીવાં પર પડતાં ભયાનક આગ, મહાકાલેશ્વર મંદિરમાં બચ્યાં હજારો

Ajit Jadeja

Last Updated: 10:16 AM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભસ્મ આરતી વખતે હોળી રમતી વખતે ગર્ભગૃહમાં આગ લાગી,આગ લાગતાની સાથે જ હાજર શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ભસ્મ આરતી વખતે હોળી રમતી વખતે ગર્ભગૃહમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં મંદિરના 13 પૂજારી દાઝી ગયા હતા. મામલાને જોતા મંદિરના નંદી હોલને ખાલી કરાવવામાં આવ્યો હતો અને ભસ્મ આરતીમાં ભાગ લેનારા ભક્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ગર્ભગૃહમાં આગ લાગતાની સાથે જ ત્યાં હાજર શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ પછી, જિલ્લા હોસ્પિટલમાંથી તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લીધા પછી ચાર લોકોને ઈન્દોર રીફર કરવામાં આવ્યા હતા અને બાકીના લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

ગુલાલ ઉડાડવાથી આગ લાગી હતી

મળતી માહિતી અનુસાર આરતી દરમિયાન ગુલાલ ઉડાવવાને કારણે આગ લાગી હતી. દુર્ઘટના સમયે મંદિરમાં હજારો ભક્તો મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા.  પૂજારી ગર્ભગૃહમાં આરતી કરી રહ્યા હતા ત્યારે પાછળથી કોઈએ પૂજારી સંજીવ પર ગુલાલ ઉડાડ્યો. ગુલાલ દીવા પર પડ્યો. ગુલાલમાં કોઈ કેમિકલ હોવાના કારણે આગ લાગી હોવાનો અંદાજ છે. ગર્ભગૃહમાં ચાંદીના અસ્તરને રંગથી બચાવવા માટે શણ લગાવવામાં આવ્યું હતું. જેના કારણે આગ પણ લાગી હતી. કેટલાક લોકોએ અગ્નિશામક સાધનો વડે આગને કાબુમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં આરતી કરી રહેલા સંજીવ પૂજારી, વિકાસ, મનોજ, સેવાધારી આનંદ, કમલ જોષી સહિત ગર્ભગૃહમાં હાજર 13 લોકો દાઝી ગયા હતા.

 

તપાસના આદેશો

ઉજ્જૈન ના કલેક્ટરએ જણાવ્યું કે 13 લોકો દાઝી ગયા છે. 4 લોકોને ઈન્દોર રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી રહી છે. બાકીના ઘાયલોની સારવાર ઉજ્જૈનની જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ પણ વાંચોઃ અભિનેત્રી કંગના રનૌતને ભાજપે આપી ટિકિટ, આ બેઠક પર લડશે ચૂંટણી,111 લોકસભા ઉમેદવારનું પાંચમું લિસ્ટ જાહેર

કેવી રીતે થયો અકસ્માત?

મંદિરના પૂજારી પ્રદીપ ગુરુએ જણાવ્યું કે હોળીના દિવસે પણ મહાકાલ મંદિરમાં દરરોજની જેમ ભસ્મ સળગાવવામાં આવી રહી હતી. તહેવાર દરમિયાન ભક્તો હોળી રમી રહ્યા હતા. આ દરમિયાન કપૂર આરતી થઈ રહી હતી. આશંકા છે કે ગુલાલમાં કોઈ પ્રકારનું કેમિકલ ભેળવવામાં આવ્યું હોવાથી કપૂર ઉડીને આરતી પર પડ્યો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ