બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / ભાવનગર / 12 indian coastal cities submerged in sea

ખળભળાટ / NASA IPCC Report: ભાવનગર અને કંડલા પર ફરી વળશે દરિયાના પાણી, રિપોર્ટથી મચ્યો હડકંપ

Kavan

Last Updated: 04:16 PM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સી લેવલ પ્રોજેક્શન ટૂલ બનાવ્યું છે.  જેથી લોકોના જીવન અને મિલકતને દરિયાકિનારા પર આવતી આપત્તિથી સમયસર સુરક્ષિત રાખી શકાય.

  • નાસાના 3000 પાનાના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
  • ભારતના 12 શહેરો સમુદ્રમાં ડૂબી જશે 
  • ગુજરાતના કંડલા અને ભાવનગરનો સમાવેશ

આ ઓનલાઇન સાધન દ્વારા, કોઈ ભવિષ્યની આપત્તિની સ્થિતિ એટલે કે દરિયાનું સ્તર વધવું જાણી શકશે. આ સાધન વિશ્વના તમામ દેશોના દરિયાનું સ્તર માપી શકે છે, જે દરિયાકિનારો ધરાવે છે. જો કે, આ ટૂલ દ્વારા તાજેતરમાં જે જાણવા મળ્યું છે તે ગુજરાતીઓનું ટૅન્શન વધશે. 

IPCCની ભયાનક રિપોર્ટ 

નાસાએ ઈન્ટરગવર્નમેન્ટ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જના રિપોર્ટનો હવાલો દેતા અનેક શહેરો સમુદ્રમાં ડૂબવાની ચેતવણી જાહેર કરી છે. IPCCનો આ છઠ્ઠો એસેસમેન્ટ રિપોર્ટ 9 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યો , જે જળવાયુ પ્રણાલી અને જળવાયુ પરિવર્તનની સ્થિતિને વધુ ઉત્તમ બનાવે છે. 

ચિંતાજનક રિપોર્ટ

IPCC સન 1988થી વૈશ્વિક સ્તર પર જળવાયુ પરિવર્તનનું આકલન કરી રહ્યું છે. IPCC દર 5 થી 7 વર્ષમાં દુનિયાભરમાં પર્યાવરણની સ્થિતિનો રિપોર્ટ આપે છે. જો કે, આ વખતનો રિપોર્ટ ખૂબ જ ગંભીર અને ડરાવનારો છે. 

લાલબત્તી સમાન રિપોર્ટ 

ધરતી પર સતત પર્યાવરણના નિકળતા જતા નિકંદન સામે સંયુક્ત રાષ્ટ્રોની સમિતિએ લાલબત્તી ધરી છે, જળવાયુ પરિવર્તન પર નજર રાખતી યુનાઈટેડ નેશન્સની સમિતિએ ક્લાઈમેટ ચેન્જ અંગે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે, એ રિપોર્ટમાં ધરતી પર સતત વધી રહેલા તાપમાન અને તેની માનવજાત પર પડનારી ગંભીર અસર વિશે વાત કરવામાં આવી છે, આ ગંભીર અસરો એવા પ્રકારની હશે જેને ભરપાઈ કરવું માનવજાતના હાથની વાત નહીં હોય. 

3000 પાનાંના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 

234 વૈજ્ઞાનિકો દ્વારા અભ્યાસ હાથ ધરાયા બાદ કરાયા બાદ સંયુક્ત રાષ્ટ્રની  IPCC કમિટીએ  પોતાના પોતાના  3000 પાનાંના રિપોર્ટમાં જે કહ્યું છે તે ચોંકવાનારું છે, તેમાં કહ્યું છે કે, સતત વધતા તાપમાનના કારણે સમુદ્રની જળસપાટી વધી રહી છે, અને બફરનો વ્યાપ સીમિત થઈ રહ્યો છે જેના કારણે ધરતી પર પ્રચંડ ગરમી અને લૂ  માનવજાતે સહન કરવી પડશે, તો  દુષ્કાળ, પૂર અને ભયંકર ઝંઝાવાત જેવી કુદરતી આફત મનુષ્યનું જીવવું હરામ કરી દેશે, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા,તુર્કી અને કેલિફોર્નિયાના જંગલોમાં આગની ઘટનાઓ રોકવી મુશ્કેલ થઈ પડશે, ધરતીનું ઉષ્ણકટિબંધ વિસ્તાર પર ચક્રવાત અને ભારે વરસાદનું જોર વધારે રહેશે જ્યારે ગરમીના કારણે આર્કટિક સમુદ્ર બરફ પીગળી જશે અને પરિણામે જળસ્તર વધી જશે જે દરિયાકિનારાના વિસ્તારોને ડૂબાડવા માટે જવાબદાર બનશે

ભાવનગર અને કંડલા બંદર ડૂબી જવાની વાત 

સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ પરની ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ એટલે IPCCએ આપેલી આ ચેતવણીને  (હવે ઈમેજ નાસાનો શોટ તરીકે ઉપયોગ જરૂરી લાગે તો થોડી ટ્રીટમેન્ટ કરજો)અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ પણ સમર્થન આપ્યું છે, નાસાએ પોતાના સી લેવલ પ્રોજેક્શ ટૂલના માધ્યમથી સમગ્ર દુનિયાનો નકશો બતાવીને એ દર્શાવ્યું છે કે, ક્યા વર્ષે દુનિયાના કયા હિસ્સામાં કેટલી દરિયાયી જળસપાટી વધશે, જેમાં ભારતની પણ વાત કરવામાં આવી છે, જેમા કહેવાયુ છે કે,ઈ.સ.2100સુધીમાં ભારતના 12 શહેર અડધા ફૂટથી માંડી પોણા ત્રણ ફૂટ સુધી પાણીમાં ગરકાવ થઈ જશે, જેના પર શહેર વાઈઝ એક નજર કરીએ તો ભાવનગર 2.29 ફૂટ, કોચ્ચિ 2.32 ફૂટ, મોરમુગાઓ 2.06 ફૂટ, ઓખા 1.69 ફૂટ, તૂતિકોરીન 1.39 ફૂટ, પારાદીપ 1.93 ફૂટ, મુંબઈ 1.90 ફૂટ, ઓખા 1.87 ફૂટ, મૈંગલોર 1.87 ફૂટ, ચેન્નઈ 1.87 ફૂટ, વિશાખાપટ્ટનમ 1.77 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જશે

છેલ્લા 40 વર્ષમાં વધ્યો ગરમીનો પ્રકોપ

જળવાયું પરિવર્તનથી સર્જાનારી વિભિષકા સૌથી પહેલી  આપણા અર્થતંત્ર  પર વજ્રાઘાત કરશે, કેમ કે, ભારતના તમામ દરિયા કિનારા પર મુખ્ય બંદરો અને વેપારી કેન્દ્રો આવેલા છે, યુનોના IPCCના આ રિપોર્ટમાં શંશોધકોએ નોંધ્યું છે કે, 1850 બાદના ચાર દાયકમાં જેટલી ગરમી નથી વધી તેટલી ગરમી છેલ્લાં 40 વર્ષમાં વધી છે, ધરતી પર પ્રચંડ ગરમીનું મોજું પહેલા 50 વર્ષે આવતું હતું, હવે ગરમીનું પ્રચંડ મોજું દર દસ વર્ષે આવી રહ્યું છે, ધરતી ગરમ થવાની હવે શરૂઆત થઈ ગઈ છે આગામી 20 વર્ષમાં ધરતીનું તાપમાન 1.5 સેલ્સિયસ વધી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ