હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ટીટોડીએ ઈંડા મૂક્યા હતા. ટીટોડીએ ચાર ઈંડા મુક્યા હતા. ત્યારે ટીટોડીએ ઉભા ઈંડા મુક્યા હતા. જાણકારોએ કહ્યું હતું કે જો ટીટોડી ઈંડા ઉભા મુક્યા હોય તો વરસાદ સારો રહેશે. તેમજ જમીન ઉપર ઈંડા મૂક્યા હોવાથી ચોમાસુ મોડું શરૂ થશે.
IPL 2024 RCB Vs SRH: ફાફ ડુપ્લેસીએ કહ્યું, "તમે ટીમમાં કોન્ફિડન્સની વાત ન કરી શકો. જો કોઈ વસ્તુ તમને કોન્ફિડન્સ આપી શકે છે તો તે પરફોર્મન્સ છે. ટીમો એટલી મજબૂત છે કે તમે 100 ટકા ન આપો તો તમને જ નુકસાન થશે. "
કંપનીનું કહેવું છે કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા યુઝરની પ્રાઈવસીની સુરક્ષા કરવામાં આવે છે. આના દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે મેસેજ મોકલનાર અને પ્રાપ્ત કરનાર જ અંદરનો કન્ટેન્ટ જાણી શકે.
બીજા તબક્કામાં વાયનાડ સહિત કેરળની તમામ 20 બેઠકો મતદાન થશે. કોંગ્રેસે ફરી એકવાર રાહુલ ગાંધીને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે, તો સામે સીપીઆઈ પાર્ટીના જનરલ સેક્રેટરી ડી રાજાના પત્ની એની રાજા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
CJI ચંદ્રચુડે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનો પોતાનો સત્તાવાર WhatsApp નંબર જાહેર કર્યો છે. હવે વોટ્સએપ મેસેજ દ્વારા વકીલોને કોઝ લિસ્ટ, કેસ ફાઈલ કરવા અને સુનાવણી માટે લિસ્ટિંગ વિશે જાણકારી આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જ્યોર્જિયા મેલોની, બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે તેમના વિચારોનો પુનરોચ્ચાર કર્યો. તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.
Pakistan Karachi: ફાસ્ટ ફૂડમાં બર્ગર દરેકને પસંદ આવે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બર્ગર માટે કોઈ મર્ડર પણ થઈ શકે છે. હકીકતે પાકના કરાચીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એખ યુવકે ફક્ત બર્ગરની એક બાઈટ માટે પોતાના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે.
Voter ID Card: જો તમારૂ વોટર આઈડી કાર્ડ ખોવાઈ ગયું છે તો ગભરાવવાની જરૂર નથી. કારણ કે વોટર આઈડી કાર્ડ વગર પણ તમે લોકસભા ચૂંટણી 2024માં મતદાન કરી શકો છો.
આ એક એવા પૂર્વ પ્રધાનમંત્રીનો કિસ્સો છે જેમની સાદગી અને ઈમાનદારીના લોકો ઉદાહરણો આપતા હોય છે. તેઓ લાંબા સમય સુધી નેહરુની કેબિનેટમાં રેલવે, હોમ મિનિસ્ટર જેવા મહત્ત્વના મંત્રાલય સંભાળી ચૂક્યા હતા. પરંતુ તે જ્યારે PM બન્યા ત્યારે તેમની પાસે પોતાની કાર પણ ન હતી. જેથી તેમને પરિવારના દબાણને કારણે લોન લઈને કાર ખરીદી હતી.
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિચક્ર હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા અનુસાર સંખ્યાઓ હોય છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર જાણવા માટે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 7 હશે.
ભારતના સૌથી મોટા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) એ માર્ચ ક્વાર્ટરમાં 16 PSU સહિત ઓછામાં ઓછા 80 શેરોમાં માલિકી ઘટાડી છે. LIના પોર્ટફોલિયોનું બજાર મૂલ્ય વધીને રૂ. 14 લાખ કરોડ થયું છે.
આજે લોકસભા ચૂંટણીને લઈ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે 12 રાજ્યની 88 અને કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ 88 બેઠક પર મતદાન શરૂ થવા પામ્યું છે. બીજા તબક્કામાં કુલ 1 હજાર 198 ઉમેદવારો મેદાને છે.
શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા.તેમણે કહ્યું ભાજપની સરકારનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે. કોંગ્રેસના નેતાઓને ડરાવીને ધમકાવીને ખરીદવામાં આવી રહ્યા છે
25 ઓગસ્ટ, 2015 ના રોજ અમદાવાદના જીએમડીસી મેદાનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની મહાક્રાંતિ રેલીમાં લાખો લોકો એકઠા થયા હતા. આ લોકોની માંગણી હતી કે પાટીદારો (પટેલોને) ઓબીસીમાં સામેલ કરવામાં આવે અને અનામત આપવામાં આવે. આ રેલીનું નેતૃત્વ અન્ય કોઈ નહીં પણ યુવા નેતા હાર્દિક પટેલે કર્યું હતું.