બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Why Pan Masala and tobacco are sold separately, asked SC
Vaidehi
Last Updated: 05:16 PM, 14 April 2023
પાન-મસાલા અને તમાકૂને અલગ-અલગ શા માટે વેંચવામાં આવે છે. તેને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન એ વાત સામે આવી કે કાયદાની નજરોમાંથી છટકવા માટે આ બંને વસ્તુઓને અલગ-અલગ વેંચવામાં આવે છે અને પછી લોકો બંનેને મિક્સ કરીને ગુટકા બનાવે છે.
SCમાં આ મુદે થઈ સુનાવણી
તમિલનાડુમાં ગુટકા-પાન મસાલાનાં વેંચાણ પર બેન લગાવવાનાં આદેશને પડકારતી અરજીની ચર્ચા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી. આ મામલા પર 13 એપ્રિલનાં રોજ SC માં સુનાવણી થઈ જે દરમિયાન જસ્ટિસ કે.એમ. જોસેફ અને જસ્ટિસ બી.વી.નાગરત્નાની પીઠએ તમિલનાડુ સરકારને કેટલાક પ્રશ્નો પૂછ્યાં.
પ્રશ્ન: અમૃત થોડી વેંચવામાં આવે છે, ગુટકાનાં વેંચાણ પર કાયમી પ્રતિબંધ કેમ નથી લાદતા.
જવાબ:
આ મુદે તમિલનાડુ સરકારે SCને જવાબ આપતાં જણાવ્યું કે તેના પર કાયમી પ્રતિબંધ ન લગાડી શકીએ કારણકે કંપનીઓ પાન-મસાલા અને તમાકૂનું અલગ-અલગ વેંચાણ કરે છે. લોકો અલગ પાઉચ ખરીદે છે અને તેને મિક્સ કરીને ગુટકા બનાવે છે. હવે તમે જ જણાવો કે તમાકૂ અને પાન-મસાલાનાં ખરીદ-વેંચાણ પર કઈરીતે પ્રતિબંધ લગાવીએ.?
ગુટકા નિર્માતાઓની તરફથી સી.એસ.વૈદ્યનાથને કહ્યું કે,
માત્ર સ્વાસ્થ્ય કટોકટીનાં સમયમાં જ તેના ખરીદ વેંચાણ પર અસ્થાઈ પ્રતિબંધો લગાવી શકાય છે, સંપૂર્ણ પ્રતિબંધ હાલનાં કાયદાની ફ્રેમવર્ક અંતર્ગત શક્ય નથી.
Supreme Court hears appeal of Madras HC ruling that quashed Tamil Nadu ban on gutka, pan masala; stating that no law provides for permanent ban on tobacco.#SupremeCourt #SupremeCourtofIndia pic.twitter.com/ZHhGQRgkxr
— Bar & Bench - Live Threads (@lawbarandbench) April 13, 2023
સિબ્બલે કહ્યું કે દરવર્ષે આ જ દલીલ કરવી પણ યોગ્ય નથી કારણકે વર્ષ વિત્યા પછી પણ આ જનતાનાં આરોગ્ય માટે તેટલું જ હાનિકારક છે. શું વર્ષો વીતી ગયા પછી તેના સેવનથી કેન્સરનું જોખમ ટળી જાય છે? આ કેવી દલીલ કરવામાં આવી રહી છે? સિબ્બલે આગળ જણાવ્યું કે 2016માં રાજ્યમાં તમાકૂ પર બેન લગાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અમે નથી ઈચ્છતા કે હાઈકોર્ટ આ આદેશનાં માર્ગમાં અવરોધો ઊભા કરે.
જો કે પીઠે આ તમામ દલીલો બાદ અત્યારસુધી કોઈ આદેશ આપ્યો નથી. આ મામલાની આવતી સુનાવણી 18 એપ્રિલનાં થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army