બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Who can challenge PM Modi says survey
Khyati
Last Updated: 05:54 PM, 21 January 2022
હાલ દેશમાં ચૂંટણીને લઇને તૈયારીઓ ચાલી રહી છે. આવનારા ટૂંક સમયમાં વિવિધ રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે તેવામાં જો ચૂંટણી થાય તો કોની સરકાર બનશે.. કોને કેટલા મત મળશે ? આ તમામને લઇને લોકોનો શું મિજાજ છે તે જાણવાનો એક ખાનગી સંસ્થાએ પ્રયાસ કર્યો છે. આ વચ્ચે એ પણ જાણવાની કોશિશ કરવામાં આવી કે જનતાની નજરમાં હાલમાં વિપક્ષમાંથી કોણ સૌથી મોટો ચહેરો છે જે પીએમ મોદીને ટક્કર આપે છે.
પીએમ મોદી સામે વિપક્ષમાં કોણ આપી શકે ટક્કર
આ સરવેમાં મોદી સરકાર સામે વિપક્ષની ભૂમિકામાં કોને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા છે . આ અંગે સરવે કરવામાં આવતા રસપ્રદ પરિણામ મળ્યુ. પીએમ મોદી મોદી સામે ટક્કર આપનારા નેતાઓમાં સૌથી પહેલી પસંદ તરીકે 17 ટકા સાથે પ.બંગાળની મમતા બેનરજી છે જ્યારે બીજા નંબર પર 16 ટકા સાથે અરવિંદ કેજરીવાલ છે. ત્યાં 11 ટકા એવુ માને છે કે રાહુલ ગાંધી ત્રીજા નંબર પર પીએમ મોદીને ટક્કર આપનારા નેતા તરીકે જનતાની લિસ્ટમાં છે.
પીએમ મોદી બાદ બીજેપીમાં ઉત્તરાધિકારી કોણ ?
આ ઉપરાંત જ્યારે પીએમ મોદી પછી બીજેપીના ઉત્તરાધિકારી કોણ હોઇ શકે તે અંગે સરવે કરવામાં આવ્યો તો તેનો જવાબ પણ ઘણો જ રોચક હતો. 24 ટકા લોકોએ પીએમ મોદી બાદ અમિત શાહ પર પસંદગી ઉતારી છે જ્યારે 23 ટકા લોકોનું માનવુ છે કે યોગી આદિત્યનાથ જનતાની બીજી પસંદ છે. તો આ સરવેમાં પીએમ તરીકે જનતાની પસંદગીની યાદીમાં ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીનો પણ સમાવેશ થાય છે. ગડકરીને 11 ટકા લોકો પસંદ કરે છે.
પીએમના કામને લઇને શું છે મત ?
સર્વેમાં હાજર પીએમ મોદીના કામને લઈને મતદાતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં 35 ટકા લોકો પીએમ મોદીના કામથી ઘણા સંતુષ્ટ છે અને તેમના કહેવા પ્રમાણે પીએમનું કામ 'ખૂબ સારું'ની શ્રેણીમાં આવે છે. સર્વેમાં 38 ટકા લોકોએ પીએમના કામને 'સારું' ગણાવ્યું છે. આ સિવાય 15 ટકા લોકોએ પીએમના કામને 'સરેરાશ' કહ્યું, 08 ટકા લોકોએ 'ખરાબ' તો 12 ટકાએ 'ખૂબ ખરાબ' ગણાવ્યુ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army