બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / સ્પોર્ટસ / Cricket / What will happen next 18th MS Dhoni Defamation case filed, know what the whole case is
Megha
Last Updated: 09:13 AM, 17 January 2024
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના બે ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને મિહિરની પત્ની સૌમ્યા દાસે આ કેસ દાખલ કર્યો છે. તેની સુનાવણી 18 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.
Defamation case filed in Delhi High Court against MS Dhoni by former business partner Mihir Diwakar#MSDhoni #delhihighcourt
— Bar & Bench (@barandbench) January 16, 2024
Read full story: https://t.co/Yf4hPZ7fAt pic.twitter.com/BKYAKZZdNx
એ વાત તો જાણીતી જ છે કે થોડા દિવસો પહેલા ધોનીએ રાંચીની સિવિલ કોર્ટમાં અર્કા સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર અને સૌમ્યા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો, જેમાં 15 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાનો આરોપ છે.
ધોની વિરુદ્ધ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવાનું કારણ શું છે
મિહિરે કહ્યું કે તેની વિરુદ્ધ નોંધાયેલા કેસમાં કોર્ટ કોઈ નક્કર નિષ્કર્ષ આપી શકે તે પહેલા ધોનીના વકીલ દયાનંદ શર્માએ 6 જાન્યુઆરી, 2024ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપો લગાવ્યા. મિહિર અને સૌમ્યાનું કહેવું છે કે મીડિયા દ્વારા આ આરોપોને વધુ રીતે દેખાડવામાં આવ્યા છે જેનાથી તેમની છબી ખરાબ થઈ છે. માનહાનિનો કેસ દાખલ કરતી વખતે તેમણે માંગ કરી છે કે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું બંધ કરવામાં આવે.
અહેવાલો અનુસાર, મિહિર અને સૌમ્યાએ ધોની, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલાક મીડિયા હાઉસ સામે કાયમી મનાઈ હુકમ અને વળતરની વિનંતી કરીને હાઈકોર્ટનો નો દરવાજો ખટખટાવ્યો છે. તેણે મુકદ્દમામાં કહ્યું છે કે X (અગાઉ ટ્વિટર), ગૂગલ, યુટ્યુબ, મેટા (ફેસબુક) અને ઘણા ન્યૂઝ પ્લેટફોર્મ પર તેની વિરુદ્ધ ઘણા માનહાનિભર્યા લેખો પોસ્ટ કરવામાં આવ્યા છે. તેમને પણ દૂર કરવા જોઈએ.
વધુ વાંચો: T20 વર્લ્ડકપ પહેલાં ટીમ ઇન્ડિયાના આ 2 ધૂરંધર ખેલાડીઓ માટે ગુડ ન્યુઝ, BCCI આપી શકે છે મોટી ભેટ
શું છે આખો મામલો
ધોની અને અર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વચ્ચે 2017માં બિઝનેસ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત ભારતમાં અને વિદેશમાં ક્રિકેટ એકેડમી ખોલવાની હતી. એવો આરોપ છે કે આ ડીલમાં જે શરતો પર સહમતિ થઈ હતી તેનું પછીથી પાલન કરવામાં આવ્યું ન હતું. ધોનીના વકીલના જણાવ્યા અનુસાર, કેપ્ટન કૂલને સમગ્ર ફ્રેન્ચાઇઝી ફી મળશે અને નફો ધોની અને તેના પાર્ટનર વચ્ચે 70:30ના આધારે વહેંચવામાં આવશે તે અંગે સહમતિ બની હતી. પરંતુ બિઝનેસ પાર્ટનર ધોનીની જાણ વગર જ એકેડેમી ખોલવાનું શરૂ કરી દીધું અને કોઈ પૈસા ચૂકવ્યા નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army