બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Vishal Khamar
Last Updated: 11:08 PM, 4 October 2023
ગત રોજ અમદાવાદની ક્લોરેક્સ શાળામાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયા બાદ વાલીઓ તેમજ હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ સમગ્ર મામલે ડીઈઓ દ્વારા તપાસનાં આદેશ આપ્યા હતા. આજે ડીઈઓની ટીમ દ્વારા શાળાની મુલાકાત લીધી હતી. આ બાબતે શાળાનાં પ્રિન્સિપાલ નિરાલી ડગલીએ પ્રતિક્રિયા આપી હતી કે, અમારી શાળા દરેક તહેવારની નિયમિત રીતે ઉજવણી કરીએ છીએ. અધિકારીઓ દ્વારા કાર્યક્રમનાં વીડિયો તેમજ ફોટો પણ માંગવામાં આવ્યા હતા. તેમજ અમારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો ન હતો કે કોઈ ધર્મને પ્રમોટ કરવાનો આશય નથી.
વીડિયો વાયરલ થતા જ અમે શાળાને નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો હતોઃ આર.એમ.ચૌધરી (જીલ્લા શિક્ષણાધિકારી)
આ બાબતે જીલ્લા શિક્ષણાધિકારી આર.એમ.ચૌધરીઓ જણાવ્યું હતું કે, કેલોરેક્સ શાળા ઘાટલોડિયામાં આવેલી છે. તા. 27.9.2023 નાં રોજ ઈદે મિલાદનાં તહેવાર નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેની એક બાબત ધ્યાન ઉપર આવી જેનો વીડિયો ગઈકાલે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેવી ઘટનાં ધ્યાન ઉપર આવી તેવી તરત જ અમે શાળાને નોટીસ ફટકારી હતી. અને તેનો ખુલાસો માંગ્યો હતો. જે ખુલાસો શાળા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેનાં ભાગરૂપે આજે અમારી ટીમ શાળા કક્ષાએ ગઈ હતી. અને ખાસ હકીકત લક્ષી અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.
સ્કૂલ દ્વારા કોઈ બદ ઈરાદાથી આ કાર્યક્રમ કર્યો હોય તેવું નથી જણાતુંઃ આર.એમ.ચૌધરી (જીલ્લા શિક્ષણાધિકારી)
જે અહેવાલ રજૂ થયો છે તેમાં એક બાબત ચોક્કસ છે કે એક બાળક જે છે તે મુસ્લિમ સમાજનું છે જે નમાઝ પઢી રહ્યો છે. તેની સાથે બીજા જે બાળકો હતો તેઓ હિન્દુ હોવા છતાં તેઓને આ પ્રવૃતિમાં ભાગ લેવડાવ્યો હતો. શાળા આ બાબતે એવું કહે છે કે સર્વ ધર્મ સમભાવનાં ભાગરૂપે અમે આ પ્રવૃતિ કરાવવામાં આવી હતી. ત્યારે સર્વધર્મ સમભાવની ભાવનાથી કાર્યક્રમનાં ભાગરૂપે જો કાર્યક્રમ થાય તો વાલીઓની સંમતિ જરૂરી છે. ક્યાંય પણ ધાર્મિક લાગણી ન દુભાય તે પણ જોવું જોઈએ. તે પ્રકારે જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તપાસનાં અહેવાલમાં આમ સ્પષ્ટ જણાતુ નથી. કે તેમનો ઈરાદો આ પ્રકારનો હોઈ શકે. સ્કૂલ દ્વારા કોઈ બદ ઈરાદાથી આ કાર્યક્રમ કર્યો હોય તેવું નથી જણાતું. આવા કાર્યક્રમોથી ધાર્મિક લાગણી દુભાઈ શકે તેવા કાર્યક્રમોથી શાળાએ દૂર રહેવું તેવી તાકીદ આપીશું. આ અહેવાલને અમે આગળ મોકલાવીશું તેમજ વડી કચેરી તરફથી અમને જે કોઈ આદેશ મળશે. તેનું પાલન કરીશું. અને શાળાને સખ્ત શબ્દોમાં કોઈની લાગણી દુભાય તેવા કાર્યક્રમો ન કરવાની તાકીદ કરીશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army