બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / What Ganguly said after India's win caused a stir, Rahul Dravid also reacted

સ્પોર્ટ્સ / INDvsENG : ભારતની જીત બાદ ગાંગુલીએ એવું શું કહ્યું કે મચ્યો હોબાળો, રાહુલ દ્રવિડે પણ પ્રતિક્રિયા આપી

Pooja Khunti

Last Updated: 04:37 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં, એક મેચ ઈંગ્લેન્ડ જીત્યું છે અને એક મેચ ભારત જીત્યું છે. બંને ટીમો 1-1 મેચથી એકબીજાની બરાબરીમાં આવી ગઈ છે.

  • એક મેચ ઈંગ્લેન્ડ જીત્યું છે અને એક મેચ ભારત જીત્યું છે
  • બેટિંગનું સ્તર ઘણું નીચે ગયું છે
  • રાહુલ દ્રવિડે પણ આ વિષય પર પ્રતિક્રિયા આપી છે 

ઇંડિયન ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં શાનદાર જીત મળી છે. બંને ટીમોએ શ્રેણીમાં એક-એક મેચ જીતી છે. આ 5 મેચની શ્રેણીની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ જીત્યું હતું. તે પછીની બીજી મેચ ભારતે જીતી છે. ઇંડિયન ટીમની જીત બાદ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે ચર્ચાનો વિષય બની છે. આ વાત પર કોચ રાહુલ દ્રવિડે પણ પોતાની પ્રતિક્રિયા જણાવી છે. 

એક મેચ ઈંગ્લેન્ડ જીત્યું છે અને એક મેચ ભારત જીત્યું છે
ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં, એક મેચ ઈંગ્લેન્ડ જીત્યું છે અને એક મેચ ભારત જીત્યું છે. બંને ટીમો 1-1 મેચથી એકબીજાની બરાબરીમાં આવી ગઈ છે. હવે બાકીની રહેલી 3 મેચમાં જે વધુ મેચ જીતશે તે ટ્રોફી જીતશે. ભારત કોઈ પણ કારણોસર ટેસ્ટ શ્રેણી ડ્રો કરવા નથી માંગતુ. હૈદરાબાદ રમાયેલી ટેસ્ટમાં હારી ગયા બાદ ભારત 106 રને જીત્યું હતું. ત્યારબાદ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ સોશિયલ મીડિયા પર ટીમના બોલરોના વખાણ કરતા એક પોસ્ટ કરી હતી. જે ચર્ચાનો વિષય બની છે. 

બેટિંગનું સ્તર ઘણું નીચે ગયું છે
ઈંગ્લેન્ડ સામે ભારતની જીત બાદ સૌરવ ગાંગુલીએ લખ્યું હતું કે જ્યારે હું બુમરાહ, સિરાજ અને મુકેશ કુમારને બોલિંગ કરતા જોઉં છું, ત્યારે મને લાગે છે કે ભારતમાં ટર્નિંગ ટ્રેક તૈયાર કરવાની શું જરૂર છે. સારી વિકેટ પર મેચ રમવાની મારી ઈચ્છા દરેક મેચ સાથે પ્રબળ થઈ જાય છે. આ બોલરો કોઈપણ સપાટી પર તમારા માટે 20 વિકેટ લઈ શકે છે. તેને કુલદીપ અને અક્ષર જેવા બોલરોના સમર્થનની જરૂર છે. પીચને કારણે ઘરઆંગણે જ છેલ્લા 6-7 વર્ષમાં બેટિંગનું સ્તર ઘણું નીચે ગયું છે. 

રાહુલ દ્રવિડ
જ્યારે સૌરવ ગાંગુલીએ ટર્નિંગ ટ્રેકની વાત કરી હતી ત્યારે બીજી ટેસ્ટ બાદ ભારતીય કોચ રાહુલ દ્રવિડે પણ આ વિષય પર પ્રતિક્રિયા આપી છે. દ્રવિડે કહ્યું હતું કે "ક્યુરેટર પીચ તૈયાર કરે છે". 'અમે 'રેન્ક ટર્નર' માટે પૂછતા નથી. સમજી શકાય કે બોલ ભારતની પીચો પર ટર્ન થશે. પણ બોલ કેટલો ટર્ન લેશે 'હું નિષ્ણાત નથી'. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ