બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / સ્પોર્ટસ / Cricket / Virendra Sehwag praised PM Modi visitng dressing room after team India lost the world cup
Vaidehi
Last Updated: 05:54 PM, 25 November 2023
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ 6 વિકેટથી હારી ગઈ. હારની સાથે જ ભારતીય ટીમનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. હાર બાદ ખેલાડીઓ અને ફેન્સનું દિલ તૂટી ગયું.તેવામાં મેચ જોવા પહોંચેલા PM મોદી મેચ બાદ ખેલાડીઓને મળવા માટે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યાં હતાં. મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર પ્લેયર્સે આ બાબતે પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો.
#WATCH | Former Indian cricketer Virender Sehwag says "...I have never seen a prime minister meeting the players of a team and motivating them after they lose a match. It was a great gesture by PM Modi to encourage our prayers and support them. This will help our players to… pic.twitter.com/i9FfZY4Oep
— ANI (@ANI) November 25, 2023
વીરેન્દ્ર સહેવાગે કર્યાં વખાણ
ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પણ PM નરેન્દ્ર મોદીનાં ડ્રેસિંગ રૂમમાં મળવા અંગે પ્રતિક્રિયા આપી છે. સહેવાગે કહ્યું કે પીએમ મોદીનું ડ્રેસિંગ રૂમમાં આવવું મોટી વાત છે. જ્યારે કોઈ દેશનાં PM આવું કરે છે ત્યારે ખેલાડીઓનો ઉત્સાહ વધે છે.
ખેલાડીઓનો ઉત્સાહ વધારે છે...-સહેવાગ
સહેવાગે કહ્યું કે ઘણાં એવા ઓછા મોકા હોય છે જ્યારે કોઈ દેશનાં પ્રધાનમંત્રી પ્લેયર્સને મળીને તેમનો ઉત્સાહ વધારે છે. ખાસ કરીને મેં એવું નથી જોયું કે કોઈ ટીમ હારી હોય અને તેમના પ્રધાનમંત્રી ખેલાડીઓને મળવા ગયાં હોય. PMનું આ પગલું શાનદાર હતું કે તેઓ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને મળવા ગયાં અને તેમનો ઉત્સાહ વધાર્યો.
'મારી નજરમાં તો PMએ શાનદાર કામ કર્યું છે'
સહેવાગે કહ્યું કે જ્યારે તમે વર્લ્ડ કપ ફાઈનલ હારો છો તો તે સમયે આપણી ફેમિલી, ફેન્સ, મિત્ર વગેરે તરફથી ખાસ સપોર્ટની જરૂર હોય છે. મારી નજરમાં તો PMએ શાનદાર કામ કર્યું છે. તેનાથી ખેલાડીઓનો ઉત્સાહ વધશે અને આવનારા વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન આપવાનો પ્રયાસ કરશે.
'એક વ્યક્તિનાં કારણે આપણે ફાઈનલ હાર્યા નથી'
સહેવાગે અંતમાં કહ્યું કે એવું નથી કે કોઈ એક વ્યક્તિનાં કારણે આપણે ફાઈનલ હાર્યા છીએ. જ્યારે ટીમ સારું રમી રહી હતી ત્યારે આપણે વખાણ કરી રહ્યાં હતાં, જે દિવસે તે સારું ન રમી તે સમયે પણ આપણે તેમનો સપોર્ટ કરવો જોઈએ. ઘણાં ઓછા એવા પ્રધાનમંત્રી હશે જે હારેલી ટીમને ડ્રેસિંગ રૂમમાં મળવા ગયાં હશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army