બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Manisha Jogi
Last Updated: 03:28 PM, 2 May 2023
વિરાટ કોહલી ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયા છે. લખનઉ સુપરજાયન્ટ્સ સામે જીત મેળવ્યા પછી વિરાટ કોહલી અને સામેની ટીમના પ્લેયર નવીન ઉલ હક સામસામે આવી જતા તેમની ચર્ચા કરવામાં આવી રહી હતી. આ ઝઘડામાં ગૌતમ ગંભીરની એન્ટ્રી પણ થઈ હતી. અન્ય ખેલાડીઓએ આ બંને ખેલાડીઓને અલગ કર્યા હતા. આ બંને ખેલાડીની ફી મેચ પણ કાપી લેવામાં આવી છે. આ મુદ્દે હરભજન સિંહે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે, ‘આ ઝઘડાને કારણે આજે પણ તેમને શરમ આવી રહી છે.’
હરભજન સિંહે યૂટ્યૂબ ચેનલ પર જણાવ્યું કે, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે જે કંઈપણ થયું તે ક્રિકેટ માટે યોગ્ય નથી. વર્ષ 2008માં તેમણે પણ આ પ્રકારનો જ એક ઝઘડો કર્યો હતો, ત્યારથી તેઓ શરમમાં મુકાઈ ગયા છે. હરભજન સિંહે મેચ પછી શ્રીસંતને થપ્પડ મારી દીધો હતો અને તેઓ મેદાન પર રડવા લાગ્યા હતા. ત્યારપછી હરભજન સિંહને સીઝન ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવી હતી.
વિરાટ કોહલીને હરભજનની સલાહ
હરભજન સિંહે યૂટ્યૂબ ચેનલ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, વિરાટ કોહલી એક લિજેન્ડ ખેલાડી છે તેમણે આ બધી બાબતમાં શામેલ ના થવું જોઈએ. વિરાટ અને ગંભીર વચ્ચે જે કંઈપણ થયું તે ક્રિકેટ માટે યોગ્ય નથી.
I Am Ashamed Of What I Did With Sreesanth In 2008. Virat Kohli Is A Legend, Should Not Get Involved In Such Things. Whatever Happened Between Virat And Gambhir Was Not Right For Cricket - https://t.co/7rgtdUKl4T pic.twitter.com/V1lW92pz8S
— Harbhajan Turbanator (@harbhajan_singh) May 2, 2023
LSG-RCB વચ્ચે ઝઘડો?
લખનઉ અને બેંગ્લોર વચ્ચે 10 એપ્રિલના રોજ ઝઘડાની શરૂઆત થઈ હતી. લખનઉએ છેલ્લા બોલમાં RCB ને હરાવી દીધો હતો, ત્યાર પછી મેંટર ગૌતમ ગંભીરે આક્રમક ઊજવણી કરી હતી. ગૌતમ ગંભીરે મોઢા પર આંગળી રાખીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો હતો. RCBએ લખનઉને હરાવી દીધું અને ઊજવણી કરી હતી. નવીન ઉલ હક અને ગૌતમ ગંભીર સાથે પણ ઝઘડો કરતા જોવા મળ્યા હતા. BCCIએ આ ત્રણ ખેલાડીઓ પર ભારે દંડ ફટકાર્યો છે. વિરાટ કોહલીને એક મેચ માટે એક કરોડથી વધુ રૂપિયા મળે છે, તેમની આ મેચની ફી સંપૂર્ણપણે કાપી લેવામાં આવી છે. ગૌતમ ગંભીરને પણ 25 લાખનું નુકસાન થયું છે. નવીન ઉલ હક પર 1.79 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Virat Kohli told Naveen-ul-haq that he is equal to his foot dust.
— Pari (@BluntlndianGal) May 2, 2023
Kohli Cheap Minded person With Lot of Ego pic.twitter.com/Hj9Q1DODWG
આ ત્રણ ખેલાડીઓએ મેચના નિયમો તોડ્યા છે, જે બિલકુલ પણ ખોટું છે. મેચ પછી આ રીતે ઝઘડો કરવો તે ખોટું છે. વિરાટ કોહલી આ પ્રકારે કરે તે એકદમ અયોગ્ય છે. વિશ્વભરમાં વિરાટ કોહલીના અનેક ફેન્સ છે. યુવા ક્રિકેટર વિરાટ કોહલીને આઈડલ માને છે, તેમનો આઈડલ મેદાનમાં આ પ્રકારે ઝઘડો કરે તો લોકો શું શીખશે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army