બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ભારત / Uttar Pradesh Mukhtar Ansari buried next to his parents graves Supurd e Khak will on Saturday
Bhavesh Bhatti
Last Updated: 07:12 PM, 29 March 2024
મુખ્તાર અન્સારીનું ગુરુવારે રાત્રે 8:25 કલાકે હાર્ટ એટેકથી મોત થયું હતું. જે બાદ આજે તેમના પાર્થિવ દેહને ગાજીપુર લાવવામાં આવશે. મુખ્તાર અંસારીને કાલીબાગ કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં દફનાવવામાં આવશે. સવારથી તેમની કબર ખોદવામાં આવી રહી છે. મુખ્તાર અંસારીની કબર તેના માતા-પિતાની બાજુમાં ખોદવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ મુખ્તારના મૃતદેહને પહેલા તેના પૈતૃક ઘરે મોહમ્મદબાદ લાવવામાં આવશે. જે બાદ તેને કાલીબાગ કબ્રસ્તાનમાં લાવવામાં આવશે. મુખ્તારના મોત બાદથી જ તેના સમર્થકો મોટી સંખ્યામાં ઘરે પહોંચવા લાગ્યા હતા. કાલીબાગ કબ્રસ્તાનમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.
મુખ્તાર અંસારીને કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર મુખ્તારને તેના માતા-પિતાની કબર પાસે દફનાવવામાં આવશે. જેના માટે તેમની કબર પણ તૈયાર કરવામાં આવી છે. કબર ખોદવાનું કામ તેમના ભત્રીજા અને મોહમ્મદાબાદના ધારાસભ્ય શોએબ અંસારીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ કબ્રસ્તાન મુખ્તાર અંસારીના ઘરથી 600 મીટરના અંતર પર આવેલું છે.
કાલીબાગના કબ્રસ્તાનમાં મુખ્તાર અંસારીના પિતા સુભાન અલ્લાહ અન્સારી અને માતા રાબિયા બેગમની કબર છે. અહીં નજીકમાં મુખ્તારની કબર પણ ખોદવામાં આવી રહી છે. બીજી તરફ મુખ્તારના મૃતદેહને બાંદાથી ગાઝીપુર લાવવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા રૂટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બાંદાથી ગાઝીપુર સુધીના સમગ્ર રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મઉં, બાંદા અને ગાઝીપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
#WATCH | Ghazipur, Uttar Pradesh: Preparations underway for the funeral of gangster-turned-politician Mukhtar Ansari at Kali Bagh Graveyard. pic.twitter.com/zsjososkj0
— ANI (@ANI) March 29, 2024
મુખ્તાર અંસારીના પરિવારે જેલ પ્રશાસન પર તેને સ્લો પોઈઝન આપવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપોને ધ્યાનમાં રાખીને પોસ્ટમોર્ટમ દરમિયાન વિસરાને સાચવવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે પરિવારની સામે પોસ્ટ મોર્ટમની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army