બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ
દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ
પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ
સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી
Hiralal
Last Updated: 04:33 PM, 15 January 2024
પુત્ર લાલસામાં દીકરીઓની હત્યાની વાત તો બધાને ખબર છે પરંતુ કદાચ પહેલી વાર દીકરી માટે દીકરાની હત્યાની ખબર સામે આવી છે જે જાણીને ચોંકી જવાય તેવું છે.
મધ્યપ્રદેશના બેતુલમાં એક વ્યક્તિએ દીકરીની ઇચ્છામાં પુત્રની હત્યા કરી નાખી. તેણે પહેલા તેની પત્નીને ખૂબ માર માર્યો હતો અને પછી તેના 12 દિવસના પુત્રનું ગળું દબાવી દીધું હતું.
ઉત્તરાયણના દિવસે બની ઘટના
આ ઘટના બેતુલના બાજરવાડા ગામની છે. અનિલ ઉઇકે નામના શખ્સને બે પુત્રો છે, મોટો દીકરો સાત વર્ષનો છે અને નાનો દીકરો પાંચ વર્ષનો છે. જ્યારે પત્ની રુચિકા ત્રીજી વખત ગર્ભવતી થઈ ત્યારે તેને આશા હતી કે આ વખતે દીકરી આવશે પરંતુ બન્યું ઉલટું અને ત્રીજો પણ દીકરો જ આવ્યો. આ વાતથી અનિલ ખૂબ ગુસ્સે ભરાયો અને રવિવારે સાંજે દારૂ પીને ઘરે પરત ફર્યો હતો અને પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. આરોપીએ પત્નીને દોષી માનીને પહેલા તેને જોરદાર માર માર્યો હતો. પતિનો રંગ જોતા રૃચિકા ઘરની બહાર નીકળી ગઈ હતી પરંતુ થોડા સમય બાદ પાછી આવી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, તેનો નવજાત પુત્ર ઝૂંપડીમાં મૃત અવસ્થામાં પડ્યો હતો. તેના ગળા પર દબાવવાના નિશાન હતા.
પૂછપરછમાં શું બોલ્યો આરોપી
આ ઘટના બાદ ગામમાં હડકંપ મચ્યો છે. તરત પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને તાબડતોબ આરોપી અનિલની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, તેને પહેલાથી જ બે પુત્રો છે, તેથી તેને ઘરમાં એક પુત્રી જોઈતી હતી પરંતુ ત્રીજો પણ દીકરો આવતાં તે સહન કરી શક્યો ન હતો.
પુત્ર લાલસામાં દીકરીઓની હત્યાથી ઉલટી ઘટના
સામાન્ય રીતે પુત્ર લાલસામાં દીકરીઓની હત્યા થતી હોય છે પરંતુ આ ઘટના ઉલટી બની છે. દીકરા કે દીકરી જે પણ ભાગ્યમાં હોય તેનો સ્વીકાર કરી લેવો જોઈએ. સંતાનમાં કોઈ પણ પ્રકારની લાલસમાં જ ન રાખવી વધારે યોગ્ય છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં લોકોએ પણ ભારે આઘાત વ્યક્ત કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT