બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Vishal Khamar
Last Updated: 07:25 AM, 6 April 2023
હિન્દુ ધર્મમાં હનુમાનજીની પૂજાનું અનેરું મહત્ત્વ રહેલું છે. કોઈપણ વ્યક્તિ બજરંગબલીની પૂજા કરી શકે છે, મંગળવાર અને શનિવારના રોજ બજરંગબલીની પૂજાને શુભ માનવામાં આવે છે. આ બે દિવસો સિવાય વર્ષમાં એક એવો દિવસ પણ આવે છે, જ્યારે પૂજા કરવામાં આવે તો હનુમાનજીની અપરંપાર કૃપા વરસે છે. જેને હનુમાન જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. આજે 6 એપ્રિલ 2023ના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતિની પૂજા, શુભ મુહૂર્ત, વિધિ તથા ધાર્મિક મહત્ત્વ વિશે અહીંયા વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી છે.
પૂજા વિધિ
હનુમાન જયંતિનું પુણ્યફળ મેળવવા માટે આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન ધ્યાન કરી લેવું જોઈએ. ત્યારબાદ પૂજા સ્થળ પર લાલ કપડું પાથરીને હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો મુકીને તેને ગંગાજળથી પવિત્ર કરવો જોઈએ. હનુમાનજીની પૂજામાં લાલ કલરનું ફૂલ, રોલી, ચંદન, અક્ષત, મોતીચૂરના લાડવા તથા બૂંદીના લાડવા અર્પણ કરવા જોઈએ. હનુમાન ચાલીસાના સાત વાર પાઠ કરો. હનુમાનજીના ભોગમાં તુલસી દળ અર્પણ કરો. આ દિવસે સાધકે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને વ્રત તથા પૂજા કરવી જોઈએ.
પૂજાનું મહત્ત્વ
હિંદુ ધાર્મિક ગ્રંતોમાં હનુમાન જયંતિના દિવસે હનુમંત સાધનાનું ખૂબ જ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતા અનુસાર હનુમાનજી એક એવા દેવતા છે, જે દરેક યુગમાં પૃથ્વી પર હાજર રહે છે. તેઓ હંમેશા તેમના ભક્તોની મદદ કરે છે. સનાતન પરંપરામાં ચિરંજીવી કહેવાતા હનુમાનજીની સાધનાને શુભ અને ફળદાયી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, હનુમાનજીની પૂજા કરનાર વ્યક્તિ પાસે ક્યારેય પણ બલા આવતી નથી અને શત્રુઓ સામે રક્ષણ મળે છે.
હનુમાન જયંતિનો શુભ સમય (હનુમાન જયંતિ 2023 શુભ મુહૂર્ત)
આ વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિ 05 એપ્રિલે સવારે 09.19 કલાકે શરૂ થશે અને 06 એપ્રિલે સવારે 10.04 કલાકે પૂર્ણ થશે. ઉદયતિથિ અનુસાર આ વખતે હનુમાન જયંતિ 06 એપ્રિલે જ મનાવવામાં આવશે.
હનુમાન જયંતિ પૂજન મુહૂર્ત (હનુમાન જયંતિ 2023 પૂજન મુહૂર્ત)
સવારે 06:06 થી 07:40 સુધી
સવારે 10:49 થી બપોરે 12:23 સુધી
બપોરે 12.23 થી 01.58 સુધી
બપોરે 01:58 થી 03:32 સુધી
સાંજે 05:07 થી 06:41 સુધી
સાંજે 06.41 થી 08.07 સુધી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army