બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Today, 121 new cases of Corona have been reported in the state

અપડેટ / ગુજરાતમાં કોરોના મરણ પથારીએ, કેસમાં મોટો ઘટાડો, નવા ખાલી 121 કેસ નોંધાયા

Dinesh

Last Updated: 07:35 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, આજે રાજ્યમાં કોરોનાના 121 નવા કેસ નોંધાયા છે તેમજ 1218 એક્ટિવ કેસ નોંધાયા

  • કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 7 દર્દી વેન્ટિલેટર પર 
  • અમદાવાદ શહેરમાં 44 કેસ, વડોદરા શહેરમાં 18 કેસ 
  • ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 99.05 ટકા પહોચ્યો


ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રોજિંદા કેસ 200 અંદર આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 121 પોઝીટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નવા 121 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 44 કેસ, વડોદરા શહેરમાં 18 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 14 કેસ, મહેસાણામાં 11 કેસ, બનાસકાંઠામાં 5 કેસ તેમજ સુરત ગ્રામ્યમાં 6 કેસ, ગાંધીનગર ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે તેમજ વલસાડમાં 4 કેસ, આણંદમાં 3 કેસ, વડોદરા ગ્રામ્યમાં 3 કેસ સામે આવ્યા છે.  ભરૂચમા 2 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં એક કેસ નોંધાયો તેમજ ભાવનગર શહેરમાં એક કેસ, ગાંધીનગર શહેરમાં એક કેસ અને રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્યમાં એક-એક કેસ નોંધાયો છે.

VTV Gujarati News and Beyond on Twitter: "દિલ્હીમાં કોરોનાના 733 નવા કેસ,  બે દર્દીઓના મોત #Delhi #Corona #vtvgujarati https://t.co/1kOnbnMtJ6" /  Twitter

રાજ્માં આજે 204 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 121 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.05 ટકા નોંધાયો છે. હાલ રાજ્યમાં કુલ 1218 કોરોનાના એક્ટિવ કેસ છે તેમજ કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 7 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં આજે કુલ 204 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે 

કોરોનાથી બચવાના ઉપાય
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.

કોરોના અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે  એડવાઇઝરી 
1. લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન, વૃદ્ધ લોકો માટે તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
2. તમામ પ્રકારની હોસ્પિટલોમાં ડોક્ટરો અને દર્દીઓ તેમજ કર્મચારીઓએ માસ્ક પહેરવું જરૂરી છે.
3. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે બધાએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ.
4. ઉધરસ અથવા છીંક આવે તો તમારા મોઢાને સાફ રૂમાલ અથવા ટિશ્યુ પેપરથી ઢાંકી દો.
5. એડવાઇઝરી અનુસાર તમારા હાથને વારંવાર ધોવા અને સેનિટાઇઝ કરો.
૬. જાહેર સ્થળોએ થૂંકવાનું સંપૂર્ણપણે ટાળો.
7. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ પોતાનો ટેસ્ટ કરાવો.
8. જો તમે ફ્લૂથી પીડિત છો અથવા કોરોનાના કોઈ લક્ષણો છે, તો અન્ય લોકોને મળો નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ