બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અમદાવાદ / These roads will be closed tomorrow due to various programs related to Dandiyatra, students appearing for board exams should take special note
Vishal Dave
Last Updated: 05:07 PM, 11 March 2024
આવતીકાલે 12 માર્ચ એટલે દાંડીયાત્રાનો દિવસ છે.. વડાપ્રધાન મોદી આ પ્રસંગે ગુજરાતની મુલાકાતે છે તેમના હસ્તે ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ થશે. આ પ્રસંગે સાબરમતી ગાંધી આશ્રમ ખાતે અનેક vvipઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવી પહોંચશે.. જેને ધ્યાનમાં રાખીને કાર્યક્રમના સ્થળ સુધી પહોંચતા માર્ગને આવતીકાલે એટલે કે 12 માર્ચે સવારે 6 વાગ્યા સુધી બપોરે 2 વાગ્યા સુધી સામાન્ય જનતા માટે બંધ રાખવાનું નક્કી કરાયુ છે.. સાથે-સાથે ઓસીસી બલ્ડિંગ, ડી.કેબિન સાબરમતી ખાતે પણ કાર્યક્રમના આયોજનમાં મહાનુભવોની હાજરી રહેશે..જેને લઇને બે માર્ગો બંધ કરાયા છે, અને આ બન્ને માર્ગો માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા છે. હાલ બોર્ડની એકઝામ ચાલી રહી છે ત્યારે આ રૂટનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીઓ ખાસ આ વાતને ધ્યાને રાખે તે જરૂરી છે.
બંધ રહેનાર માર્ગો અને આ બંધ રહેનાર માર્ગના વૈકલ્પિક માર્ગોની વિગત આ પ્રમાણે છે.
બંધ રહેનાર માર્ગ 1
સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ થઇ વાડજ સર્કલ સુધીનો બન્ને બાજુનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગ
પ્રબોધરાવળ સર્કલથી રાણીપ ટી થઇ પલક ટી થી ડાબી બાજુ વળી નવા વાડજ પોલીસ ચોકી થઇ વાડજ સર્કલ સુધીના માર્ગ પર અવર-જવર કરી શકાશે.
બંધ રહેનાર માર્ગ 2
પુલકીત પ્રાથમિક શાળા સ્કુલથી સંતોષીમાતા મંદીર થઈ કર્મયોગી સ્કુલ થઈ ભુત બંગલો કટ (PWD પ્લોટ) સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગ
પુલકીત પ્રાથમિક શાળા સ્કુલ થઈ ચામુંડા સર્કલ (વલ્લભપાર્ક AMTS બસ સ્ટેન્ડ) થઈ મહાકાળી ડેરી ચાર રસ્તા થઈ વાળીનાથ ચોકડી થઈ ચાંદખેડા ચાર રસ્તા સુધીના માર્ગ પર અવર-જવર કરી શકાશે.
અપવાદ : કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો,ફરજમાં રોકાયેલા સરકારી વાહનો,ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો,આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનાર તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગું પડશે નહી.
જાહેરનામાની અમલવારીની વિગત
આ જાહેરનામાનો અમલ તા.૧૨/૩/૨૦૨૪ ના સવાર કલાક ૦૬.૦૦ થી બપોર કલાક ૧૪.૦૦ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘંન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે તેવું જાહેરનામામાં કહેવાયું છે
આ વિશેષ કાર્યક્રમોને લઇને એરપોર્ટ સર્કલથી લઇને ઇન્દિરા બ્રિજ અને ડફનાળા ચાર રસ્તા સુધી હળવા ટ્રાફિકની સંભાવના છે.. જે પરીક્ષાર્થીઓ તેમજ આ રૂટ પરથી અવરજવર કરનારા લોકો ખાસ ધ્યાનમાં લે તેવી અપીલ છે.
1200 કરોડના ખર્ચે થશે નવીનીકરણ
મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 12મી માર્ચે દાંડીયાત્રા દિવસ નિમિતે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ ભાગનો આરંભ કરાવશે. સાબરમતી નદીના કિનારે આવેલા 100 વર્ષ જુના મહાત્મા ગાંધીએ ઉભા કરેલા આશ્રમનું રૂપિયા 1200 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army