બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / The Supreme Court gave an important comment on the allegation of 'full freedom of MPs-legislators to speak in the House',
Megha
Last Updated: 11:08 AM, 6 October 2023
સંસદ કે વિધાનસભાઓમાં રાજકીય વિરોધીઓ વિરુદ્ધ અપમાનજનક નિવેદનોને અપરાધિક ષડયંત્રના ભાગરૂપે જાહેર કરવાના પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. સાથે જ એમ પણ કહ્યું છે કે, સદનની અંદર માનહાનિનું કાર્ય કોઈ અપરાધ નથી.
અપમાનજનક નિવેદનો એ અપરાધિક ષડયંત્રનો ભાગ નથી
સુપ્રીમ કોર્ટ સામે એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે સંસદ અને વિધાનસભાઓમાં અપમાનજનક નિવેદનો સહિત દરેક પ્રકારના કામને કાયદામાંથી મુક્તિ આપવામાં ન આવે. જેથી ગુનાહિત કાવતરા હેઠળ આવું કરનારાઓ સામે દંડાત્મક કાયદાનો અમલ કરી શકાય. એવામાં એક અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે JMM ધારાસભ્ય સીતા સોરેન વિરુદ્ધ 'વોટના બદલામાં લાંચ'ના આરોપ સાથે સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે કરવાનો ઈરાદો છે તે ગેરકાયદેસર કૃત્ય છે તો તે ગુનાહિત ષડયંત્ર સમાન છે. સંસદમાં કહેવાતા અપમાનજનક નિવેદન એ અપરાધિક ષડયંત્રનો ભાગ નથી અને બંધારણીય રીતે કાર્યવાહીથી મુક્ત છે.
'સંસદમાં અપમાનજનક નિવેદન કોઇ ગુનો નથી'
સીતા સોરેને આ કેસમાં પોતાને નિર્દોષ જાહેર કરવાની દલીલમાં કહ્યું હતું કે તેમને બંધારણના અનુચ્છેદ 194 (2) હેઠળ એમને સંસદમાં 'કંઈ પણ કહેવા અથવા મત આપવા' માટે છૂટ મળે છે. વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને જણાવ્યું હતું કે જો સંસદમાં મતદાન અથવા ભાષણ સંબંધિત કોઈપણ કૃત્ય કાયદાકીય કાર્યવાહીથી મુક્ત નથી, તો સભ્યોને ગૃહની અંદર અપમાનજનક ભાષણો કરીને અન્ય સભ્યોને બદનામ કરવાનું કાવતરું કરવા બદલ દોષી ઠેરવવામાં આવશે.'
સભ્યોને સંસદમાં વાણીની સંપૂર્ણ સ્વતંત્રતા છે
એડવોકેટ રાજુ રામચંદ્રને કહ્યું કે જો આવું ન થાય તો સંસદની અંદર અપમાનજનક ભાષણો અંગે સંભવિત ષડયંત્રની તપાસ કરવામાં આવશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ, જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ જેબી પારદીવાલા, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ મનોજ મિશ્રાની સાત જજોની બેંચે સભ્યોને ગૃહની અંદર જે કંઈ પણ બોલે તેના માટે કાયદાકીય કાર્યવાહીમાંણથી પૂરી છૂટ આપવાના પ્રસ્તાવ પર અસંમતિ વ્યક્ત કરી હતી. સર્વોચ્ચ અદાલત કહ્યું કે જે કરવાનો ઈરાદો છે તે ગેરકાયદેસર કૃત્ય છે, તો તે ગુનાહિત કાવતરું છે. સંસદની અંદર કહેવાતા અપમાનજનક નિવેદન એ ગેરકાયદેસર કૃત્ય નથી અને બંધારણીય રીતે કાયદાકીય કાર્યવાહીથી સુરક્ષિત છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army