બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / વિશ્વ / The president of Maldives became the president of his own people in the midst of India's opposition
Priyakant
Last Updated: 03:41 PM, 21 January 2024
Maldives News : માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની ભારતનો વિરોધ કરવાની જીદનો માર માલદીવના નાગરિકોને સહન કરવો પડી રહ્યો છે. વાત જાણ એમ છે કે, ભારત પ્રત્યેની તેની નફરતમાં મુઇઝ્ઝુએ વાતની પણ પરવા નથી કરી રહ્યા કે, તેમની જીદ તેમના પોતાના નાગરિકોના જીવનને જોખમમાં મૂકી રહી છે. એક 13 વર્ષના બાળકે જરૂરી તબીબી સારવારમાં વિલંબને કારણે જીવ ગુમાવ્યો પડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, માલદીવ સરકારે તબીબી સ્થળાંતર માટે ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં ખચકાટ દર્શાવ્યો અને હોસ્પિટલ પહોંચવામાં મોડું થવાને કારણે બાળકે જીવ ગુમાવ્યો. નોંધનીય છે કે, ભારતે માલદીવને તબીબી સ્થળાંતર અને આપત્તિ રાહત કામગીરી માટે બે નેવલ હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટ પ્રદાન કર્યું હતું.
મુઈઝુની નીતિ માલદીવના લોકો પર ભારે
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર બાળકને ગાફુ એટોલથી રાજધાની માલે લઈ જવામાં વિલંબ થયો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે, બાળકને હોસ્પિટલ લઈ જવામાં મોડું થવાને કારણે તેનો જીવ બચાવી શકાયો નથી. માલદીવ સરકારે ભારતીય સૈન્ય કર્મચારીઓને તેમના સંચાલન અને જાળવણીની જવાબદારીમાંથી દૂર કરવાની માંગ કરી છે, જેનાથી માલદીવમાં ભારતીય હેલિકોપ્ટર અને એરક્રાફ્ટનો ઉપયોગ અનિશ્ચિત છે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ ભારતને 15 માર્ચ સુધીમાં સૈનિકો પાછા ખેંચવા કહ્યું છે. જોકે ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, આ મામલે પરસ્પર સહમત ઉકેલ શોધવા માટે વાતચીત ચાલી રહી છે.
મુઇઝ્ઝુના બચાવમાં સંરક્ષણ મંત્રીએ કરી દલીલ
આ તરફ ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ ન કરવાની ટીકાનો જવાબ આપતા માલદીવના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ ખસને કહ્યું કે, માલદીવિયન એરલાઇન્સ દ્વારા હજુ પણ 93 ટકા સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. બાળકના મૃત્યુથી ઘેરાયેલા રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુના બચાવમાં દલીલ કરતા ઘસને કહ્યું કે, તબીબી કામગીરી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)માં રાષ્ટ્રપતિને જાણ કરવાની અથવા તેમની પાસેથી પરવાનગી લેવાની જરૂર નથી. આવા કિસ્સાઓમાં સંબંધિત સંસ્થાઓ વચ્ચે સંકલન હોય છે. કોણ કહી શકે કે, સ્થાનિક વહીવટીતંત્ર પણ સરકારની નીતિઓ મુજબ જ કામ કરે છે, આ માટે જરૂરી નથી કે દરેક નાના-મોટા કામ રાષ્ટ્રપતિને પૂછીને જ થાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army