બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ભારત / The High Court dealt a blow to the Congress, dismissing the petition against the IT action
Priyakant
Last Updated: 01:50 PM, 28 March 2024
Delhi High Court : કોંગ્રેસને દિલ્હી હાઇકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, આવકવેરા વિભાગની કાર્યવાહીને લઈને દાખલ કરવામાં આવેલી અરજીને ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આવકવેરા વિભાગ દ્વારા વસૂલાતની પ્રક્રિયાને પડકારવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ હાઈકોર્ટે કોંગ્રેસની એક અરજી ફગાવી દીધી હતી જેમાં પાર્ટીએ સતત ત્રણ વર્ષથી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
Delhi High Court dismisses Indian National Congress party's plea challenging I-T department order on reassessment proceedings against it for four years. Recently the court had dismissed Congress' plea against re-assessment of 2014 to 2017 years .
— ANI (@ANI) March 28, 2024
આ પહેલા હાઈકોર્ટે 20 માર્ચે સુનાવણી પૂરી થયા બાદ નિર્ણય અનામત રાખ્યો હતો. મહત્વનું છે કે, કોંગ્રેસે 2014-15, 2015-16 અને 2016-17 માટે આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ટેક્સ રિ-એસેસમેન્ટ કાર્યવાહી સામે અરજી દાખલ કરી હતી. તમને જણાવી દઈએ કે, ગયા મહિને કોંગ્રેસના નેતા અને ખજાનચી અજય માકને કહ્યું હતું કે, આવકવેરા વિભાગે તેમની પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. યુથ કોંગ્રેસનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યું હતું.
વધુ વાંચો: અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
કોંગ્રેસના નેતા અને ખજાનચી અજય માકને કહ્યું હતું કે, હાલમાં અમારી પાસે ખર્ચ કરવા, વીજળી બિલ ભરવા, કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૈસા નથી. દરેક વસ્તુને અસર થઈ રહી છે. માત્ર ન્યાય યાત્રા જ નહીં પરંતુ તમામ રાજકીય ગતિવિધિઓને અસર થઈ રહી છે. આવકવેરા વિભાગે રૂ. 210 કરોડની વસૂલાતનો આદેશ આપ્યો હતો. જોકે આઇટી ટ્રિબ્યુનલે બુધવાર સુધીમાં એકાઉન્ટ્સ પર ફ્રીઝ હટાવી દીધી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army