બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Swachhata Hi Seva Campaign: Leaders including Amit Shah, CM Bhupendra Patel did a clean sweep
Malay
Last Updated: 12:07 PM, 1 October 2023
Swachhata Hi Seva Campaign: મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પહેલા આજે દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા મોટા નેતાઓએ શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. સપ્ટેમ્બરના મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ લોકોને 1 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી એક કલાક માટે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાની અપીલ કરી હતી.
અમિત શાહે કરી સાફ-સફાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર આજે દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ શરૂ થયો હતો. જેને લઈને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રાણીપ AMTS બસ સ્ટેન્ડ પાસે 'એક તારીખ-એક કલાક' મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોડાયા હતા, તેઓએ રાણીપ AMTS બસ સ્ટેન્ડ પાસે સાફ-સફાઈ કરી હતી.
CM ભૂપેન્દ્ર પટેલનું ઘાટલોડિયામાં શ્રમદાન
આજે દેશભરમાં સ્વચ્છતા હેતુ શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વચ્છતા માટે એક કલાક શ્રમદાન કરી મહાત્મા ગાંધીને સ્વચ્છાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં શ્રમદાન કર્યું હતું.
PM મોદીની અપીલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યોઃ પાટીલ
"સ્વચ્છતા હી સેવા" અભિયાનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ જોડાયા હતા. નાનપુરા નાવડી ઓવારા ખાતે સી.આર.પાટીલે શ્રમદાન કર્યુ હતું, તેઓની સાથે સુરતના ધારાસભ્યો પણ શ્રમદાન અભિયાનમાં જોડાયા હતા. આ દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, PM મોદીની અપીલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. નાગરિકોને સાથે રાખીને સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. મહાત્મા ગાંધીજીનો સફાઈ માટે આગ્રહ હતો. સુરત શહેરમાં 60 જગ્યાાએ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir