બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / signs you are not happy with yourself bad for you
Bijal Vyas
Last Updated: 06:55 PM, 19 March 2023
જીવનમાં ખુશ રહેવુ ખૂબ જ જરુરી છે. જ્યારે તમે ખુશ રહો છો ત્યારે વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરી શકો છો. નવા નવા સપના જોઇ શકો છો અને ખુદને આગળ વધારવાનો પ્લાન તૈયાર કરી શકો છો. ઘણી વખત આપણી ખુશીઓ બીજાના કારણે પ્રભાવિત થાય છે. તો ઘણી વખત એટલો સ્ટ્રેસ અને પરેશાની હોય છે કે વ્યક્તિ પોતાનાથી પણ ખુશ રહી શકતી નથી. ઘણી વખત તમે અનુભવ કર્યો હશે કે મિત્રો અને પરિવાર સાથે હોવા છંતા પણ તમારુ મન ખુશ રહેતુ નથી. જીવનમાં કંઇપણ મેળવવા માટે સૌથી વધારે જરુરી છે કે ખુદ ખુશ રહેવું.
ઘણી વખત તમે તમારી નાની-નાની વાતો પર ધ્યાન આપતા નથી. આ આદતો જ તમને સંકેત આપે છે કે તમે પોતાનાથી જ ખુશ નથી. આજે એવી જ અમુક આદતો વિશે તમને જણાવીએ જેનાથી તમે જાણી શકશો કે પોતાની જાતને ખુશ કેવી રીતે રાખી શકાય?
1. ખુદ પર વિશ્વાસ ના રાખવો:
જો તમને હંમેશા એવુ લાગે છે કે તમારામાં કોઇ ખોટ છે, તો બની શકે કે તમે પોતાનાથી ખુશ નથી. તમે ઇચ્છો છો કે લોકો તમારા વખાણ કરે તો તમારે તેમની વાતોનો વિશ્વાસ નથી કરતા. તમે તમારા વખાણ સાંભળીને વિશ્વાસ કરતા નથી, આ મોટો સંકેત છે કે તમે પોતાની જાતથી ખુશ નથી. જો તમે પોતાનાથી ખુશ નથી તો જીવનમાં કોઇ પણ સફળતા મળે તો પણ તમને તેની ખુશી નહીં મળે.
2. દરેક પરિસ્થિતિમાં ખુદને પીડિત માનો છો તમેઃ
તમને દરેક વખતે એમ લાગે છે કે બધા તમારા વિરુદ્ધ કામ કરી રહ્યા છે. એટલે કે જો તમને થોડી પણ મુશ્કેલી થાય છે ત્યારે તમને એમ લાગે છે કે દરેક વ્યક્તિ તમને જાણી જોઇને હેરાન કરી રહ્યા છે. તમે દરેક પરિસ્થિતિમા પોતાને જ દોષી અને પીડિત માનો છો. તમે વિપરીત પરિસ્થિતિમાં પીડિત અનુભવવાની જગ્યાએ સમસ્યાનો ઉકેલ શોધવો જોઇએ.
3. તમે હંમેશા બીજાને જજ કરો છો
એક્સપર્ટનું માનવુ છે, જે લોકો હંમેશા બીજીને જજ કરે છે, તે ખુદથી ખુશ હોતા નથી. હકીકતમાં કે ખુદને સારુ લગાડવાનો પ્રયત્ન કરવા માટે બીજાને જજ કરે છે. જો તમે ખુદથી ખુશ હશો તો બીજાને ક્યારેય જજ નહીં કરો.
4. સપના જોવાના બંધ કરે છે
જ્યારે તમારા જીવનમાં કોઇ લક્ષ્ય નથી હોતુ ત્યારે તમે સપના જોવાના બંધ કરી દો છો. ત્યારે તમારા જીવનનો કોઇ મતલબ જ નથી રહેતો અને તમે પોતાને ખુશ રાખી શકતા નથી. જે લોકો ખુદ ખુશ નથી હોતા તેઓ પોતાનામાં જ એટલે ઉલજાઇ જાય છે કે કંઇ નવુ પ્લાન નથી કરી શક્તા અને ભવિષ્યનો વિચાર પણ કરતા નથી.
5. તમે દરેક વસ્તુમાં નેગેટિવિટી શોધી લો છો
જે લોકો ખુદથી ખુશ નથી હોતા તે લોકો દરેક વાતમાં નકારાત્મકતા શોધી લે છે. તેમના માટે ગ્લાસ હંમેશા ખાલી જ હોય છે. તેઓ કોઇપણ કાર્ય કરતા પહેલા કે પછી તેનુ પરિણામ નેગેટિવ જ હશે તેવુ જ માની લે છે. તેમની આ આદતના કારણે ઘણી વખત તેમના હાથમાં થી સારી ઓપચ્યુનિટી જતી રહે છે, કારણ કે પહેલાથી જ તે સફળતા નહીં મળે તેવુ માની જ લે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ