બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અમદાવાદ / Shaktisingh showed 'Shakti', took out a rally from Gandhi Ashram, explained why he will assume the post tomorrow, spoke a lot more
Vishal Khamar
Last Updated: 03:19 PM, 19 June 2023
આવતીકાલે ભગવાન જગન્નાથ મંદિરે દર્શન કરીને શક્તિસિંહ ગોહિલ ચાર્જ સંભાળશે. આ અંગે શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, આવતીકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જન્મદિવસ છે. જેથી તે આવતીકાલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ચાર્ચ સંભાળશે. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાંથી મને તમામ ગુજરાતીઓનો સાથ સહકાર મળ્યો છે. જગદીશ ઠાકોરે ખૂબ મહેનતથી પોતાની જવાબદારી નિભાવી છે, ત્યારે હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છે.
ત્યારે વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગાંધીજીએ સત્યને સાથે રાખી અંગ્રેજો સામે લડત લડી હતી. દેશનાં લોકોએ બાપુને સાથ આપી આઝાદીની લડાઈ લડી હતા. હું પણ મારી તાકાત પર નહી પણ બાપુની જેમ સત્યને સાથે લઈ ગુજરાતીઓનાં પ્રેમની માંગ કરૂ છું. ગુજરાતમાં મુઠ્ઠીભર માણસો માલામાલ થાય છે ગુજરાતની અસ્મિતિ નથી. જરૂર પડે તો ટીકા કરજો પણ સાચી ટીકા કરજો. અમારી ભુલ હશે તે સુધારવા પ્રયાસ કરીશું. આ મંચ પર ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ ઉપસ્થિત છે. અર્જુનભાઈ પોરબંદર હતા તેમ છતાં તેઓ આવ્યા તે બદલ તેમનો આભાર માન્યો હતો. ભરતસિંહનો અગાઉથી કાર્યક્રમ નક્કી હતો તેમ છતાં તે આવ્યા. ત્યારે હાલ યુવાનો પાસે રોજગારી નથી, પેપરો ફૂટે છે. ખેડૂતો હેરાન છે. ગુજરાતમાં કોઈ પણ કામ ભ્રષ્ટ્રાચાર વિના થતું નથી.
કોંગ્રેસ પક્ષ છોડી ગયેલા લોકો માટે શક્તિસિંહ ગોહિલનું નિવેદન
કોંગ્રેસ પક્ષ છોડીને ગયેલા લોકો માટે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, પક્ષ છોડીને ગયેલા લોકોને પાછું આવું હોય તો આવી શકે છે. બીજા પક્ષમાં હોય એમને આવવું હોય તો પણ આવી શકે છે. જે લોકો બીજા પક્ષમાં રહ્યા છે તેઓ કહે છે કે અમારી મજબૂરી છે, આ યોગ્ય નથી. રાજીવ ગાંધી વખતે ભાપજનાં 2 જ સાંસદ હતા. રાજીવ ગાંધી ઈચ્છતા હોત તો ઈડી, સીબીઆઈ મોકલી તેમને ખરીદી કહી શકત કે વિપક્ષ છે જ નહી. કોંગ્રેસ છોડીને જનારો રડતા રડતા કહે છે કે મજબૂરીથી જાવ છું. દિલ તો કોંગ્રેસમાં જ છે. ત્યારે સામે પક્ષે હલકી કક્ષાની રાજનીતી થશે તો પણ અમે અમારી નીતિ મત્તા નહી છોડીએ. કોંગ્રેસ મજબૂત થશે અને સત્તામાં આવશે.
કચ્છમાં વાવાઝોડું હતું ત્યારે અમે ત્યાં ગયા હતા. અમે નક્કી કર્યું હતું કે, વાવાઝોડું આવે એ પહેલા ત્યાં પહોંચવું હતું. વિચાર કર્યો હતો કે મોટું નુકશાન થાય તો પદયાત્રાનો કાર્યક્રમ રદ્દ કરીશું.
ગોવાભાઈના વિસ્તારમાંથી જ ભાજપના કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાશેઃ શક્તિસિંહ ગોહિલ
ગોવા રબારીનાં રાજીનામાં પર શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગોવાભાઈનાં વિસ્તારમાંથી જ ભાપજનાં કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાશે. આનાથી ભાપજને ફાયદો નહી નુકશાન થશે. જગદીશભાઈ સહિતનાં કેટલાક લોકોએ વાતચીત કરી છે.
અમે પાંડવો લડવાના છીએઃ શક્તિસિંહ ગોહિલ
અમે તમામ નેતાઓએ નક્કી કર્યું છે કે એક સાથે લડવાના છીએ. અમે પાંડવો લડવાનાં છીએ. સામે કોઈ પણ દુર્યોધન કે શકુની હશે તો પણ લડીશું. હસતા હસતા કહ્યું કે હું કોઈને શકુની કે દુર્યોધન કહેતો નથી માત્ર ઈતિહાસનું ઉદારહણ આપું છું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir