બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Seeing the fish in the water and piercing the eye of the fish is the same goal.
Mehul
Last Updated: 02:38 PM, 31 October 2021
ગુજરાતમાં કોંગ્રેસને માળખાકીય રીતે મજબૂત કરવાની મહા કવાયદનો આરંભ થવામાં છે.દિવાળીના સપરમાં દિવસો દરમિયાન નવી ઉર્જા ભરવાનો સંકલ્પ લઈને આવેલા નવા પ્રભારી ડો રઘુ શર્મા એ ગત સપ્તાહે દિલ્હીમાં G-23 (ગુજરાતના નેતાઓ )ની બેઠક બોલાવી હતી.હવે રવિવારે બપોર બાદ જિલ્લા કોંગ્રેસ પ્રભારી,ફ્રન્ટ લાઈન ઓર્ગેનાઈઝર્સ સાથે બેઠકોનો દૌર આરંભશે. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે, લોખંડી ચેતનારૂપી મનોબળ બનાવવાની કવાયદ રહેશે. એક તો છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ રાજ્યમાં સતા વિહોણી છે. ત્યારે, જેટલા નીર સાબરમતીમાં વહી ગયા તેના કરતા વધારે નુકસાન સરવાળે કોંગ્રેસે વેઠયું છે. હવેનો લક્ષ્ય 2022 જ હોય, તમામ કોંગ્રેસીઓને 'માછલીની આંખ'અને પાણીમાં જોઇને મત્સ્યવેધ'નો લક્ષ્ય આપવા પ્રયત્ન કરાશે.
બપોર બાદ બેઠકનો ધમધમાટ
ડો રઘુ શર્માની આ વન-ટૂ -વન બેઠકમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કો-ઓર્ડીનેશન સમિતિના સભ્યો ઉપસ્થિત રહેશે. બપોરે ચાર વાગ્યાથી જિલ્લા કોંગ્રેસ પ્રભારી અને જિલ્લા પ્રમુખ સાથે રિવ્યુ બેઠક થશે. સાંજે 5 કલાકે ફ્રન્ટલ ઓર્ગોનાઇઝેશનના ચેરમેન સાથે કરશે વ્યક્તિગત બેઠક પણ કરશે.ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સાથેની આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારોમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના નેતાઓ હાજર રહેશે. ગુજરાત કોંગ્રેસ દિવાળી બાદ જન જાગરણ અભિયાન ચલાવવા મહત્વપૂર્ણ ચર્ચા કરશે.
નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં અભિયાન
કોંગ્રેસ માટે ,રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે.વિધાનસભા 2022 ની ચૂંટણી માટે બરાબર એક વર્ષ જ બાકી છે.ત્યારે, પાયાના નવલોહિયા કાર્યકરોમાં પ્રાણવાયુ ફૂંકી આત્માને ઝાક્ઝોરવા કોગેસે કૌવત દાખવવું પડશે. રાજ્યમાં વધતી મોંઘવારી, બેકારી , ઉપરાંત , ભ્રષ્ટાચાર, બેરોજગાર અને ખેડૂતના મુદ્દાને લઈને આંદોનલ કરવામાં આવશે. રાજ્ય સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસનું આક્રમક વલણ જોવા મળશે. જનજાગરણ અભિયાનમાં કોંગ્રેસ આ પાયાના પ્રશ્નોને મૂકી જનતા સમક્ષ જઈ શકે છે.સભવત: 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી કોંગ્રેસ જન જાગરણ અભિયાન ચલાવશે. જન જાગરણ અભિયાન અંતર્ગત રેલી, ધરણા, જાહેરસભા, પદ યાત્રા જેવા વિવિધ કાર્યક્રમો અંતર્ગત કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army