બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Bijal Vyas
Last Updated: 07:56 PM, 4 July 2023
World Cup 2023: ક્રિકેટનો મહાકુંભ એટલે કે વર્લ્ડ કપ 2023, 5 ઓક્ટોબરથી શરૂ થશે. જેની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ માટે આ ટૂર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે, કારણ કે આ ઈવેન્ટ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓનું ભવિષ્ય સ્પષ્ટ કરશે.
તાજેતરમાં, ઇનસાઇડ સ્પોર્ટ્સ સાથે વાત કરતા બીસીસીઆઈ(BCCI)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્ય પસંદગીકારનું કામ ખેલાડીઓ સાથે તેમની ભાવિ યોજનાઓ વિશે વાત કરવાનુ પણ થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ સમયે BCCIના નવા ચીફ સિલેક્ટરની રેસમાં અજીત અંગારકરનું નામ સૌથી આગળ છે. આવી સ્થિતિમાં જો ચેતન શર્માના સ્થાને અજીતને પસંદગીકાર બનાવવામાં આવે છે તો એવું કહેવું ખોટું નથી કે ઘણા સિનિયર ખેલાડીઓની કારકિર્દી જોખમમાં આવી શકે છે.
World Cup 2023 બાદ નક્કી થશે રોહિત-કોહલીનું ભવિષ્ય
હકીકતમાં વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ 8 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ વર્ષે આ ટૂર્નામેન્ટ ભારતના હોસ્ટિંગમાં રમાવાની છે, જેમાં તમામની નજર કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પર ટકેલી છે. જ્યાં વિરાટ કોહલી તેના જૂના ફોર્મમાં પાછો ફર્યો છે, જ્યારે રોહિત શર્મા ફોર્મમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં તેણે વર્લ્ડ કપમાં તેના ફોર્મમાં પાછા આવવાની જરૂર છે, માત્ર ટૂર્નામેન્ટ જીતવા માટે જ નહીં, પરંતુ તેની કારકિર્દી બચાવવા માટે પણ હિટમેનને સારા ફોર્મની જરૂર પડશે.
વિરાટ કોહલી 34 વર્ષનો છે જ્યારે રોહિત શર્મા 36 વર્ષનો છે. આવી સ્થિતિમાં ખેલાડીઓની વધતી ઉંમરને કારણે તેમની કારકિર્દી પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. આ દરમિયાન બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, મુખ્ય પસંદગીકારનું કામ ખેલાડીઓ સાથે તેમના ભવિષ્ય વિશે વાત કરવાનું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ તેનાથી દૂર નથી. અમે ઈચ્છીએ છીએ કે, અમારા ખેલાડીઓ શક્ય તેટલા લાંબા સમય સુધી ક્રિકેટ રમે, પરંતુ દરેક ખેલાડીએ પોતાના શેડ્યૂલનું પાલન કરવું પડશે. ત્રણેય ફોર્મેટ રમવા સિવાય આઈપીએલ રમવું સરળ કામ નથી.
મળતી માહિતી મુજબ, ઓછામાં ઓછા 5 ખેલાડીઓના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. અધિકારીએ કહ્યું કે, વર્લ્ડ કપ પછી બધાનું ધ્યાન ટી20 વર્લ્ડ કપ તરફ જશે. ભારતીય ટીમ 2007 પછી T20 વર્લ્ડ કપ જીતી શકી નથી. આવી સ્થિતિમાં ભારત આવતા વર્ષે T20 વર્લ્ડ કપ 2024 જીતવામાં કોઈ કસર છોડવા નહીં માંગે. આ વિશે વધુમાં વાત કરતા અધિકારીએ કહ્યું કે, IPL સતત વધી રહી છે, પરંતુ જો અમે IPL દ્વારા આવતા ખેલાડીઓ સાથે T20 વર્લ્ડ કપ જીતી ન શકીએ તો સારું નથી લાગતું. વનડે વર્લ્ડ કપ બાદ પસંદગી સમિતિ તેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army