બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / સ્પોર્ટસ / Cricket / Ravi shastri ready to mediate between virat kohli and gautam gambhir fight
Bijal Vyas
Last Updated: 02:47 PM, 3 May 2023
IPL 2023: IPL મેચ બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલા વિવાદથી ઘણા પૂર્વ ક્રિકેટરો નિરાશ છે. આ ઘટના લખનઉ સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં બની હતી જ્યારે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે, ગંભીર પહેલા વિરાટે લખનઉ તરફથી રમતા નવીન-ઉલ-હક સાથે દલીલ કરી હતી. આ પછી જ્યારે મેચ પુરી થઈ તો ગંભીર સાથે તેની ચર્ચા વધી ગઈ.
ત્યાં આ ઘટના ભારતીય ટીમના પૂર્વ કોચ અને IPLમાં કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રી આ ઘટના પર વિરાટ કોહલી અને ગંભીર વચ્ચે સમાધાન કરવા તૈયાર છે. મીડિયા સાથે વાત કરતા શાસ્ત્રીએ કહ્યું, 'હું બંને વચ્ચે સમાધાન કરાવવા માટે તૈયાર છું. આવા વિવાદો બંધ બારણે ઉકેલાય તો સારું.
શાસ્ત્રીએ કહ્યું, 'મને લાગે છે કે આ મામલો બે-ત્રણ દિવસમાં શાંત થઈ જશે. જ્યારે વિરાટ અને ગંભીર તેના વિશે વિચારશે, ત્યારે તેમને ખ્યાલ આવશે કે તે બંને પરિસ્થિતિને વધુ સારી રીતે હેન્ડલ કરી શક્યા હોત. બંને ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી તરફથી રમે છે. ગૌતમ ગંભીર ચેમ્પિયન ખેલાડી છે. તેણે ભારતને બે વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, અને જ્યારે વિરાટની વાત કરીએ તો તે એક આઇકોન અને સ્ટાર છે.
વધુમાં શાસ્ત્રીએ કહ્યું, 'એવું નથી કે આ પછી વિરાટ અને ગંભીર એકબીજાનો સામનો નહીં કરે. આ બંને ટીમો આ લીગમાં ફરી રમશે. આવી સ્થિતિમાં, બંનેને સાથે બેસીને તેમના મતભેદોને એકવારમાં સમાપ્ત કરે તો વધુ સારું રહેશે.
શાસ્ત્રીએ કહ્યું, 'આ વિવાદને ઉકેલવા માટે જે પણ પહેલ કરવામાં આવશે, તે એટલી જ સારી રહેશે. વિવાદ વધુ વધે એવું કોઈ ઈચ્છતું નથી. જો આ મામલો નહીં ઉકેલાય તો આગામી સમયમાં જ્યારે આ બંને મળશે ત્યારે થોડી વાત થશે, તો મામલો વધી જશે. આવી સ્થિતિમાં જો મારે બંને વચ્ચે સમાધાન કરાવવું પડે તો તે યોગ્ય છે.
કેવી રીતે શરુ થયો આ મામલો
RCB અને લખનઉ વચ્ચે IPL 2023 ની 43મી મેચ એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચ લો સ્કોરિંગ હતી. આરસીબી પ્રથમ બેટિંગ કરતા 126 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમ પણ કંઈ ખાસ કરી શકી ન હતી. શરૂઆત સારી રહી હતી. આવી સ્થિતિમાં લખનઉ 108 રનમાં ઓલઆઉટ થતાં આરસીબીએ 17 રને મેચ જીતી લીધી હતી.
વાસ્તવમાં આ આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે અમિત મિશ્રા અને નવીન ઉલ હક બેટિંગ કરી રહ્યા હતા. અમિત મિશ્રાએ અમ્પાયરને ફરિયાદ કરી હતી કે કોહલી નવીનને વારંવાર મારતો હતો. જો કે, કોહલીએ નવીન પર આરોપ પણ લગાવ્યો હતો કે તેણે તેની વિરુદ્ધ કહ્યું હતું. જો કે ત્યાં સુધીમાં મેચ પૂરી થઈ ગઈ હતી, પણ કોહલી અને નવીન વચ્ચે વાતચીત ચાલુ રહી હતી.
આ દરમિયાન ડગઆઉટમાંથી, બંને ટીમોના ખેલાડીઓ અને સ્પોર્ટ્સ સ્ટાફ એકબીજા સાથે હાથ મિલાવવા મેદાનમાં આવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army