બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
MayurN
Last Updated: 08:48 PM, 1 September 2022
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવતા દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સતત વધ-ઘટ જોવા મળી રહી છે. હવે ફરી એકવાર રાજુ શ્રીવાસ્તવને 100 ડિગ્રી તાવ આવ્યો છે. જેના કારણે ડોક્ટરોએ રાજુ શ્રીવાસ્તવને હાલ પૂરતા વેન્ટિલેટર પરથી નહીં હટાવવાનો નિર્ણય લીધો છે. જોકે, રાજુ શ્રીવાસ્તવના હાર્ટ બીટ, બીપી અને ઓક્સિજન લેવલ નોર્મલ છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને 23 દિવસથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નેચરલી ઓક્સિજન લઈ રહ્યા છે
જાણકારી મુજબ રાજુ શ્રીવાસ્તવ હાલ ભાનમાં છે, રાજુના હાથ-પગમાં હલચલ થોડી વધી છે. મંગળવારે તેમને થોડા સમય માટે વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને ફરીથી વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવ પોતાના દમ પર 80-90 ટકા નેચરલ ઓક્સિજન લઈ રહ્યા છે. ડોક્ટરો તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ પહેલા 25 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવ ભાનમાં આવ્યા હતા. તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેઓ ભાનમાં ન હતા.
9 ઓગસ્ટના રોજ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો
9 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવ દિલ્હીની ઇરોઝ હોટલમાં રોકાયા હતા. આ દરમિયાન તે હોટલની બહાર જિમમાં એક્સરસાઇઝ કરવા ગયા હતા. ત્યાં જ કસરત દરમિયાન પડી ગયા અને છાતીમાં સખત દુખાવાની ફરિયાદ કરી. જે બાદ જિમમાં હાજર લોકો તેને તરત જ એમ્સ લઈ આવ્યા હતા. ત્યાં છેલ્લા 23 દિવસથી તેમની સારવાર ચાલી રહી છે. આ વચ્ચે તેમની તબિયતમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. ચાહકો સતત તેના સેહતની સુધારણા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army