બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Dinesh
Last Updated: 07:50 PM, 1 September 2023
કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડૉ. વલ્લભ કથીરિયાને થોડા દિવસ અગાઉ રાજકોટ એમ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર તરીકે નિમણૂક કરાઈ હતી. પરંતુ તેમણે અચાનક એમ્સના પ્રેસિડેન્ટના પદેથી રાજીનામુ આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ ડોક્ટર કથીરિયાને પ્રેસિડેન્ટ તરીકેની નિમણૂક થઈ હતી.
વલ્લભ કથીરીયાનું નિવેદન
રાજીનામા મુદ્દે વલ્લભ કથીરીયાએ જણાવ્યું કે, મંત્રાલયમાંથી કહેવામાં આવતા રાજીનામું આપ્યું છે, ટેકનિકલ હિત હોવાનું જણાવી રાજીનામું માંગવામાં આવ્યું હતું. રાજીનામાં આપવાનું કહેવામાં આવતા મેં રાજીનામું આપ્યું છે
આરોગ્ય મંત્રાલયે રાજીનામુ સ્વીકાર્યું
ડોક્ટર કથીરિયાએ ગણતરીના દિવસોમાં જ રાજીનામું આપી દેતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડૉ. વલ્લભ કથીરિયાનું રાજીનામું મંજૂર પણ કરી દીધું છે. જો કે, તેમણે ક્યાં કારણોસર રાજીનામુ આપ્યું છે તે અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. રાજકોટ એમ્સ હવે નવા પ્રેસિડેન્ટ મળશે.
સન્માન કાર્યક્રમની પત્રિકા પણ વહેંચાઈ ચૂકી હતી
ડોક્ટર વલ્લભ કથીરિયાને સન્માનિત કરવામાં આવે તે પૂર્વે જ તેમના રાજીનામાના સમાચાર વહેતા કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, મીડિયા સુધી કેન્દ્રીય સચિવનો પત્ર પહોંચતો કરવામાં આવ્યો છે. રાજકોટની સરસ્વતી શિશુ વિદ્યામંદિર ખાતે સન્માનનો કાર્યક્રમ યોજવાનો હતો. કાર્યક્રમની પત્રિકા પણ વહેંચાઈ ચૂકી હતી. સન્માન સમારોહ શરૂ થવાના ગણતરીના કલાક પૂર્વેજ રાજીનામાના સમાચાર વહેતા કરવામાં આવ્યા છે
કોણ છે ડૉ વલ્લભ કથીરિયા?
ડૉ.વલ્લભ કથીરિયાનો જન્મ 30 નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ ભારતની 14મી લોકસભાના સભ્ય હતા. તેઓ ગુજરાતના રાજકોટ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ વાજપેયી મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. બાદમાં ડૉ.વલ્લભ કથીરિયાને ગુજરાતના 'ગૌ સેવા આયોગ'ના અધ્યક્ષ બનાવાયા હતા. 2019માં ડૉ.વલ્લભ કથીરિયાને રાષ્ટ્રીય કામધેનુ આયોગ (RKA), ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ સ્થાપિત સરકારી સંસ્થાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમને રાજકોટ AIIMSના પ્રેસિડેન્ટ બનાવાયા હતા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir