બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Raja Mahipal Vala Sahib of Jetpur passes away

દુઃખદ / જેતપુરના રાજવી મહિપાલ વાળા સાહેબનું નિધન: તેઓ ભારત સરકારે જાહેર કરેલા છેલ્લા રાજવી હતા, 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Malay

Last Updated: 03:36 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: જેતપુર સ્ટેટના ચાપરાજ વાળાના વંશજ મહિપાલ વાળા સાહેબનું 74 વર્ષની વયે નિધન, મહારાજા સાહેબના નિધનથી સમગ્ર પંથકમાં ફેલાઇ શોકની લાગણી.

  • જેતપુરના રાજવી મહિપાલ વાળાનું નિધન
  • જેતપુરના ચાપરાજ વાળાના વંશજનું નિધન
  • સવારે તબિયત નાદુરસ્ત થયા બાદ રાજવીનું નિધન

Rajkot News: રાજકોટના જેતપુરના છેલ્લા રાજવી સાહેબના દુઃખદ અવસાનના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના જેતપુરના રાજવી મહિપાલ વાળા સાહેબનું નિધન થયું છે. તેમના નિધનથી રાજવી પરિવાર સહિત જેતપુરમાં શોકની લાગણી ફરી વળી છે. આજે બપોરે 4 વાગ્યે ધારેશ્વર દરબારગઢ ખાતેથી રાજવી મહિપાલ વાળાની અંતિમયાત્રા નીકળશે. 

74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
જેતપુરના (પીઠડીયા) છેલ્લા રાજવી મહિપાલ વાળા સાહેબનું આજે સવારે 74 વર્ષની વયે નિધન થયું છે, આજે સવારે તબિયત નાદુરસ્ત થયા બાદ રાજવી મહિપાલ વાળાનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર પંથકમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. 

4 વાગ્યે નીકળશે અંતિમયાત્રા
ધારેશ્વર સ્થિત દરબારગઢ ખાતે મહારાજા સાહેબના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો છે, આજે બપોરના 4 કલાકે તેઓની અંતિમયાત્રા નીકળશે. આપને જણાવી દઈએ કે, મહિપાલ વાળા સાહેબ ભારત સરકારે જાહેર કરેલા જેતપુરના છેલ્લા રાજવી હતા. જેતપુર સ્ટેટના ચાપરાજ વાળાના વંશજ મહારાજા મહિપાલ વાળા સાહેબના નિધનથી જેતપુરમાં શોક ફેલાયો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ