બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Preparations in full swing for Vibrant Gujarat Summit 2024: 6 IAS officers to go abroad for campaign
Malay
Last Updated: 02:46 PM, 3 January 2024
Gandhinagar News: ગાંધીનગર ખાતે આવતા વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. જેના કારણે અત્યારથી જ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રમોશન કરવાની 6 IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેઆ તમામ 6 આઈએએસ અધિકારી વિવિધ દેશોમાં જઈને સ્થાનિક ઉદ્યોગપતિઓ અને કંપનીઓ સાથે રોકાણના લક્ષ્ણાંક સાથે વાતચીત કરશે.
6 IAS અધિકારીઓને વિદેશ મોકલવાનું આયોજન
રાજ્યના ઉદ્યોગ વિભાગે ગુજરાતમાં ચોક્કસ લક્ષ્ણાંક સાથે રોકાણ થાય તેવા પ્રોઝન્ટેશન સાથે IAS અધિકારીઓને વિદેશ મોકલવાનું આયોજન કર્યું છે. આ માટે 6 IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ IAS અધિકારીઓ આંતરરાષ્ટ્રીય ડેલિગેશન સાથે વિવિધ દેશોમાં જશે. આ તમામ 6 અધિકારી અમેરિકા, સાઉદી અરેબિયા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાન્સ, તાઈવાન, સાઉથ કોરિયા, વિએતનામ, જર્મની, ડેન્માર્ક અને ઈટલી જશે. આ બધા દેશોમાં ગુજરાત વતી રોડ શૉ પણ યોજાશે.
ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
આ ઉપરાંત આ અધિકારીઓ જે-તે દેશમાં ઉદ્યોગપતિ-કંપનીઓના એમડી સાથે મુલાકાત કરશે. તેઓની સાથે બેઠક કરીને તેઓને ગુજરાતમાં રોકાણ થાય તે માટે ચર્ચા કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 પહેલા ગુજરાત સરકાર દ્વારા પ્રિ-વાઈબ્રન્ટ એમઓયુની પ્રક્રિયા જોરશોરથી હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં અત્યાર સુધીમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ 25 સેકટરમાં રૂ. 10.24 લાખ કરોડના 55,907 એમઓયુ થયા હતા. આ પૈકી છેલ્લા બે વર્ષ દરમિયાન 19,070 ઔદ્યોગિક એકમોએ તેમની કામગીરી હાથ ધરી છે. જેના પરિણામે રૂ. 21 હજાર કરોડનું મૂડી રોકાણ થયું છે, જ્યારે 4962 ઉદ્યોગોએ એમઓયુ કર્યા પછી રોકાણમાં પાછળ હટી ગયા હોવાનું બહાર આવ્યું છે.
વાઈબ્રન્ટ સમિટના પ્રચાર માટે 6 IAS વિદેશ જશે
- IAS જે.પી.ગુપ્તા અમેરિકા અને સાઉદી અરેબિયા જશે
- IAS અંજુ શર્મા સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા જશે
- IAS અશ્વિનીકુમાર ડેલિગેશન સાથે જાપાન જશે
- IAS હરિત શુક્લા ફ્રાન્સ અને અમેરિકા જશે
- IAS વિજય નેહરા તાઈવાન, સાઉથ કોરિયા, વિએતનામ જશે
- IAS રાહુલ ગુપ્તા જર્મની, ડેન્માર્ક અને ઈટલી જશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army