બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / 'PoK is a part of India', Rajnath Singh did not give such a statement, there are 5 big reasons behind it
Megha
Last Updated: 10:11 AM, 27 June 2023
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે હવે તમે જોઈ રહ્યા છો કે પીઓકેમાં શું થઈ રહ્યું છે. મને લાગે છે કે આપણે વધારે કરવાની જરૂર નથી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પર જે જુલમ થઈ રહ્યો છે, ત્યાંથી માંગ ઉઠે છે કે અમારે ભારતનો હિસ્સો બની જવું છે તમે એ પણ જોયું હશે કે ત્યાંના લોકો અમને ભારતનો હિસ્સો બનાવી દો એવા નારા લગાવી રહ્યા છે. આ નાની વાત નથી.
#WATCH | A large part of Jammu and Kashmir is under the occupation of Pakistan. The people there are seeing that on the Indian side, people are living their lives peacefully but injustice is being done to them by the Pakistan government...POK (Pakistan Occupied Kashmir) is, was… pic.twitter.com/AEbARYuoTu
— ANI (@ANI) June 26, 2023
PoK ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે
તેમણે ચેતવણી આપતાં કહ્યું કે હું પાકિસ્તાન સરકારને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કાશ્મીરની રટ લગાવીને ન બેસો તમારા ઘરનું ધ્યાન રાખો. જે રીતે પરિસ્થિતિ છે, તેમાં કંઈ થાય તો નવાઈ નહીં. પીઓકે પર ગેરકાયદેસર કબજો કરીને પાકિસ્તાનને અધિકાર નથી મળતો. તેમણે કહ્યું કે ભારતની સંસદમાં પીઓકે અંગે સર્વસંમત ઠરાવ છે કે તે ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે. આ હેતુ અંગે સંસદમાં એક નહીં પરંતુ ત્રણ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે.
ચાલો પાંચ મુદ્દાઓમાં સમજીએ કે રાજનાથ સિંહે પીઓકેને લઈને આ નિવેદન શા માટે આપ્યું?
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે
પાકિસ્તાનની દુર્દશા જાણીતી છે. પાકિસ્તાને પોતાની અર્થવ્યવસ્થાને સુધારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. પાકિસ્તાન હાલમાં 50 વર્ષમાં સૌથી વધુ મોંઘવારી દર સાથે ઝઝૂમી રહ્યું છે. જેના કારણે ત્યાંની વસ્તીનો મોટો ભાગ ગરીબીથી પીડાઈ રહ્યો છે. આ સાથે જ પાકિસ્તાનનું આર્થિક મોડલ વિદેશી લોન પર ખૂબ આધાર રાખે છે, જે સરકારને બાહ્ય સહાય પર નિર્ભર કરે છે અને દેશને નાદારીનું જોખમ બનાવે છે.
ભારતીય કાશ્મીરના લોકો પણ પીઓકેને શામેલ કરવાની માંગ કરી
સમગ્ર જમ્મુ-કાશ્મીરને એક કરવા માટે માત્ર પીઓકેમાં જ નહીં પરંતુ ભારતીય કાશ્મીરમાં પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે. અકેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ પહેલા જ કહી ચુક્યા છે કે પીઓકેને આઝાદ કરવાનો અને તેને ભારતમાં સામેલ કરવાનો સમય આવી ગયો છે.
ભારતીય અને PoK વચ્ચે પ્રવાસન ઉદ્યોગમાં મોટો તફાવત
જમ્મુ અને કાશ્મીરમાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પ્રવાસન રહ્યો છે. આતંકવાદના કારણે ખીણમાં પ્રવાસન ઉદ્યોગ ખૂબ પ્રભાવિત થયો હતો પણ 370ને હટાવ્યા બાદ અહીંની સ્થિતિમાં ઝડપથી સુધારો થયો હતો. સરકાર અહીં પર્યટનને પુનર્જીવિત કરવા માંગે છે, જેના પરિણામો દેખાવા લાગ્યા છે, પરંતુ પીઓકેમાં એક સુંદર પર્યટન સ્થળ હોવા છતાં, ત્યાંની અર્થવ્યવસ્થાને કોઈ ફાયદો નથી મળી રહ્યો.
#WATCH | After Uri & Pulwama attacks, PM didn't take even 10 minutes to take a decision and our jawans went across the border to eliminate terrorists, said Defence Minister Rajnath Singh on surgical strikes against terrorist camps in PoK, in Jammu, earlier today. pic.twitter.com/Ob0HwFI1c5
— ANI (@ANI) June 26, 2023
PoKના ઘણા નેતાએ ભારતમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી
પાકિસ્તાન પર વધી રહેલા દેવાને કારણે પીઓકેમાં રહેતા ત્યાંના લોકોએ પાકિસ્તાન સરકાર સામે બળવો કર્યો. પાકિસ્તાનમાં કોઈપણ સરકાર બને એ છતાં પીઓકેની સ્થિતિમાં સુધારો થતો નથી. આ જ કારણ છે કે ત્યાંના ઘણા નેતાઓ પાકિસ્તાનના કબજામાંથી આઝાદી ઈચ્છે છે.
ભારતીય કાશ્મીરની માથાદીઠ આવક
અંહિયા રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં એક મહત્વની વાત કહી કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો ભારતીય કાશ્મીરનો વિકાસ અને લોકોમાં સમૃદ્ધિ પરત જોઈ રહ્યા છે અને આ જ કારણ છે કે ત્યાંના લોકો ભારતનો હિસ્સો બનવાની વાત કરી રહ્યા છે. પીઓકેના લોકો સતત જોઈ રહ્યા છે કે કલમ 370 નાબૂદ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં વિકાસની ગતિ કેટલી ઝડપથી વધી છે. લોકોનું જીવન બદલાઈ ગયું છે. આવી સ્થિતિમાં પીઓકેના લોકોમાં પાકિસ્તાન પ્રત્યે કોઈ આકર્ષણ બાકી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army