બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ભારત / PM Modi will listen to the grief of the victims of Sandeshkhali, Mamata Banerjee's government is on the back foot
Vishal Dave
Last Updated: 05:02 PM, 22 February 2024
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની કથિત ઉત્પીડનનો મામલો સતત જોર પકડી રહ્યો છે. ભાજપ સહિત રાજ્યની વિપક્ષી પાર્ટીઓ મમતા સરકાર પર પ્રહારો કરી રહી છે. 6 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે, જ્યાં તેઓ સંદેશખાલીના પીડિતોને મળશે. સંદેશખાલીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શાહજહાં શેખ અને તેમના સમર્થકો પર જમીન હડપ કરવાનો અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.
હાઈકોર્ટની પરવાનગી લઇને સંદેશખાલીની મુલાકાત
જ્યારથી સંદેશખાલીનો મામલો સામે આવ્યો છે ત્યારથી ભાજપ, કોંગ્રેસ અને ડાબેરીઓના અનેક નેતાઓ ઘટનાસ્થળે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, બંગાળ પ્રશાસને શરૂઆતમાં નેતાઓને સંદેશખાલી જવાની મંજૂરી આપી ન હતી, ત્યારબાદ હાઈકોર્ટની પરવાનગી લીધા પછી, વિધાનસભામાં વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારી સહિત ભાજપના કેટલાક ધારાસભ્યો સંદેશખાલી પહોંચ્યા અને સ્થાનિક લોકોને મળ્યા.
ભાજપના પશ્ચિમ બંગાળ એકમના વડા સુકાંત મજુમદારે કહ્યું છે કે વડાપ્રધાન મોદી 6 માર્ચે રાજ્યના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બારાસાતમાં મહિલા રેલીને પણ સંબોધિત કરી શકે છે. તેમણે કહ્યું કે " વડાપ્રધાન 6 માર્ચે રાજ્યની મુલાકાત લેશે અને બારાસતમાં મહિલા રેલીને સંબોધિત કરશે," જ્યારે પૂછવામાં આવ્યું કે શું વડાપ્રધાન ઉત્તર 24 પરગણા જિલ્લામાં સંદેશખાલીની મહિલાઓને મળશે. મજુમદારે કહ્યું, "જો સંદેશખાલીની બહેનો અને માતાઓ વડા પ્રધાન મોદીને મળવા માંગે છે, અમે ચોક્કસપણે તેની વ્યવસ્થા કરીશું."
બંગાળના પોલીસ મહાનિર્દેશક પહોંચ્યા હતા સંદેશખાલી
બીજી તરફ પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક રાજીવ કુમારનું કહેવું છે કે પોલીસ સંદેશખાલીના દરેક વ્યક્તિની ફરિયાદ સાંભળશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજીવકુમાર કે જેઓ બુધવારે સંદેશખાલી ગયા હતા અને પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના અશાંત વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ત્યાં રાતભર રોકાયા હતા, ત્યાં મહિલાઓ પર અત્યાચારના દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. કુમારે ધમાખલીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે દરેક વ્યક્તિની ફરિયાદ સાંભળીશું, જો કોઈ ઘટના હશે તો અમે દોષિતો સામે કડક પગલાં લઈશું અને જો લોકો અત્યાચારમાં સંડોવાયેલા જણાશે, તો અમે તેમની સામે કડક એક્શન લઇશું
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army