બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / PM Modi took 'class' of Chief Ministers of BJP ruled states, know on which issue the meeting was held
Hiralal
Last Updated: 03:24 PM, 24 July 2022
પ્રધાનમંત્રી મોદી દ્વારા રવિવારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય નેતાઓ ભાજપના મુખ્યાલય પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપના મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં ભાગ લેવા દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય પહોંચ્યા હતા. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ તેમનું સ્વાગત કર્યું હતું.હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, યુપીના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક, ત્રિપુરાના સીએમ માણિક સાહા અને મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ભાજપના મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે ભાજપના મુખ્યાલય પહોંચ્યા હતા.
दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने भाजपा मुख्यालय में पार्टी मुख्यमंत्री परिषद की बैठक में हिस्सा लिया। pic.twitter.com/Fdu5hm38BM
— ANI_HindiNews (@AHindinews) July 24, 2022
સુશાસનના મુદ્દે મંથન
પીએમ મોદીએ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓને સુશાસનના પાઠ ભણાવ્યાં હતા. તેમણે મુખ્યમંત્રીઓને સરકારની યોજનાઓ અને નીતિને લોકોની વચ્ચે લઈ જવાની તથા વિકાસને વેગ આપવાનું જણાવ્યું હતું.
બેઠકમાં આ મુદ્દે થઈ ચર્ચા
આ બેઠકમાં કેન્દ્ર સરકારની નીતિઓ કેવી રીતે અસરકારક બની શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ કેન્દ્ર સરકારની યોજનાઓ સામાન્ય માણસ સુધી પહોંચી રહી છે કે નહીં તે અંગે મંથન કરવામાં આવશે. આ બેઠકનું સામાન્ય લક્ષ્ય 2024 તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગે મનોમંથન કરવાનું છે. બેઠકના એજન્ડામાં કેન્દ્ર સરકારની યોજનાઓની અસર, વધુ સારો વહીવટ, હર ઘર તિરંગા યોજના, રાજ્યો વચ્ચે પરસ્પર સંકલન કેવી રીતે સુધારી શકાય તે સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક રાજ્યો વધુ સારું કામ કરી રહ્યા છે, જ્યારે કેટલાક રાજ્યોના પ્રદર્શનમાં સુધારો કરવાની જરૂર છે, બેઠકમાં તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army