બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / ગુજરાત / Politics / અમદાવાદ / patidar leader rp patel differs from his previous statement on patidar cm in gujarat
Parth
Last Updated: 03:51 PM, 17 June 2021
ADVERTISEMENT
તમામ સમાજને સાથે રાખી ચાલનારો પાટીદાર સમાજ છે
ગુજરાતમાં આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઓછા થતાંની સાથે જ રાજકારણીઓ સક્રિય થઈ ગયા છે. આમ આદમી પાર્ટી પોતાન સંગઠનને મજબૂત કરી રહી છે ત્યારે ભાજપે પણ પ્રાથમિક સ્તર પર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકીય પાર્ટીઓની હલચલ અચાનક જ ત્યારે વધી ગઈ જ્યારે ખોડલધામમાંથી જાહેરાત થઈ ગઈ કે આગામી સમયમાં પાટીદાર નેતા ગુજરાતના CM પદે હોવો જોઈએ. નરેશ પટેલના નિવેદન બાદ રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો. બીજા સમાજો પણ પોતાની જાતિના નેતાને સીએમ બનાવવા માટે કવાયત ચાલુ કરી દીધી ત્યાં હવે પાટીદારોમાંથી જ એક નેતાએ એવું નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય છે.
ADVERTISEMENT
RP પટેલ પોતાના નિવેદન પરથી ફરી ગયા
ખોડલધામની બેઠકને માત્ર પાંચ જ દિવસ થયા છે ત્યાં પાટીદારોના નેતાઓમાં કેટલાકના નિવેદનો બદલાઈ ગયા છે. પાટીદારોના નેતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન RP પટેલે 12મી જૂને નરેશ પટેલના સમર્થનમાં નિવેદન આપ્યું હતું જે આજે બદલી નાંખ્યું છે. તેમણે કહ્યું કે CM નક્કી કરવા એ પાર્ટીનો મામલો છે. બેઠકમાં કોઈ જ રાજકીય ચર્ચા કરવામાં આવી નથી. પાટીદાર CM અંગેની લાગણી નરેશ પટેલની હતી. પાટીદાર સિવાયના CMને પાટીદારોએ સહયોગ આપ્યો છે અને તમામને સાથે રાખીને ચાલનારો સમાજ છે. જ્યારે ગુજરાતમાં પાટીદાર CM હતા ત્યારે પાટીદારોએ જ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે પાટીદાર સમાજ સંકુચિત સમાજ નથી.
12મી જૂને શું નિવેદન આપ્યું હતુ
આરપી પટેલે 12મી જૂને કહ્યું હતું કે સમાજના લેવલ પર બધાને એવી લાગણી હોય કે એમાં કોઈ નવી વાત નથી. જોકે હવે રાજ્યમાં આરપી પટેલનું આ નિવેદન ચર્ચાનો વિષય છે કે પાંચ જ દિવસમાં એવું તો શું બન્યું કે RP પટેલે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું?
નરેશ પટેલે શું કહ્યું હતું?
નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદારોનો જે અધિકાર છે તેના પર ચર્ચા કરવાની છે અને કેશુબાપા પછી એમના જેવો આગેવાન મળી નથી શક્યા તેના પર ચર્ચા કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT