બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Patan sander Rs. Khodal Dham will be prepared at a cost of Rs 100 crore, Bhoomi Pujan will be done by CM tomorrow
Vishal Khamar
Last Updated: 09:31 PM, 21 October 2023
પાટણના સંડેર મુકામે આવતીકાલે 100 કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તર ગુજરાત ઝોનનું ખોડલધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેની હાલ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ જવા પામી છે. આવતીકાલે ખોડલધામ નિર્માણના ખાતમુહૂર્ત પ્રસંગે ખોડલધામના ચેરમેન અને રાજકીય,સામાજિક તમામ આગેવાનો જોડાશે સંડેર ખોડલધામ સંકુલના ખાતમુહૂર્તને લઈ લેઉવા પાટીદાર સમાજના 2 હજાર સ્વયં સેવકો દ્વારા તડામાર તૈયારીઓ હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ઉતર ગુજરાત ઝોનમાં પાટણના સંડેર મુકામે રૂપિયા 100 કરોડના અંદાજિત ખર્ચે નવનિર્માણ પામનાર ખોડલધામનુ ખાતમુહૂર્ત આવતીકાલ સવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર છે.
ખાતમુહૂર્ત પ્રસંગે અંદાજિત 20 થી 25 હજાર લોકો ઉપસ્થિત રહેશે
રાજકીય, સામાજિક આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો આપશે હાજરી આવતીકાલના કાર્યક્રમને લઈ કિરીટ પટેલે જણાવ્યું હતું કે આવતીકાલે સવારે 8:00 થી 10 કલાકના સમય દરમિયાન ભક્તિ સભર ડાયરો યોજાશે. ત્યારબાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્ય પાલ તેમજ ખોડલધામના ચેરમેન સહિત રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે શ્રી ખોડલધામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સંડેર ખાતે આયોજિત આ ખાતમુહૂર્ત પ્રસંગે અંદાજિત 20 થી 25 હજાર લોકો ઉપસ્થિત રહેશે. અહીં ઉપસ્થિત રહેનાર તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો 2000 જેટલા સ્વયંસેવક કાર્યકર્તાઓ દ્વારા વાહન પાર્કિંગ,સ્ટેજ સંચાલન, ભોજન વ્યવસ્થા સહિતની કામગીરી કરવામાં આવશે.
પાટીદાર સમાજના 2 હજાર સ્વયંસેવકો ખડેપગે રહેશે
સંડેર મુકામે નવનિર્માણ પામનાર આ ખોડલધામ સંકુલમાં સમાજના ઉચ્ચ કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે યુપીએસસી જીપીએસસી ની તૈયારી અર્થે શિક્ષણધામ તેમજ જરૂરિયાતો મંદ લોકોને આરોગ્યની સેવા ઉપલબ્ધ બની રહે તે માટે આરોગ્ય ધામ અને પાટણ સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતો ટેકનોલોજી આધારિત ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવી સમૃદ્ધ બને તેના માર્ગદર્શન માટે કૃષિ સંશોધન કેન્દ્રનું પણ નિર્માણ કરાશે. સંડેર મુકામે આકાર પામનાર ખોડલધામ સંકુલના ખાતમુહુર્ત દિવસે પાટણ પંથકના લેઉવા પાટીદાર સમાજના લોકો સવારે બાલીસણા થી સંડેર સુધી માતાજીની માંડવી અને રથ સાથે પગપાળા સંડેર પહોચશે. તો સ્ટેજની સંપૂર્ણ જવાબદારી પાટીદાર મહિલાઓ, વાહન પાર્કિંગ સહિતની કામગીરી પાટીદાર સમાજના યુવાનો ઉઠાવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army