બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Parikrama of 51 Shakti Peeths started in the famous pilgrimage Ambaji
ParthB
Last Updated: 12:18 PM, 8 April 2022
બનાસકાંઠા અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ
બનાસકાંઠામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આજ થી અગામી 10મી એપ્રિલ સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂનો પ્રારંભ થયો છે. જેમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન અંબાજી ખાતે રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પરિક્રમાના પ્રારંભે આદ્યશક્તિના દર્શન-અર્ચન કરશે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિક્રમાના પ્રારંભ અવસરે અનેક કામોનું લોકાર્પણ કરશે.
ઢોલ નગારા અને ધજાઓ સાથે પરિક્રમા યોજાઈ
પવિત્ર શક્તિપીઠ અંબાજીમાં આજથી 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવમાં સેવા કેમ્પો,આનંદ ગરબા મંડળ,ભજન મંડળીઓ અને પગપાળા સંઘ ગુજરાત ભરમાંથી જોડાયા છે. આ ઉપરાંત મહોત્સવમાં દેશના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે માઈ ભક્તો દ્વારા ઢોલ નગારા અને ધજાઓ સાથે પરિક્રમાનનો પ્રારંભ કરી દીધો છે. આ પરિક્રમા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે.
17 કરોડના વિકાસ કાર્યોની CM ભૂપેન્દ્ર પટેલ આપશે ભેટ
CM ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજીના પ્રવાસે છે જયાં તેઓ 17 કરોડના વિકાસના કાર્યોની શરૂઆત કરાવશે. ગબ્બર પર દેશના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરશે તેમજ ત્રી-દિવસીય ગબ્બર પરિક્રમા મહોત્સવમાં આપશે હાજરી આપશે
કોણ કોણ રહેશે હાજર ?
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રખ્યાત ગાયિકા અનુરાધા પોનડવાલ 8 તારીખે અંબાજી આવશે. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ કોટેશ્વર મંદિર ખાતે ભૂમિપૂજન કરશે. મુખ્યમંત્રી રાત્રે 8 વાગ્યે સૌથી મોટા લાઈટ શોનું લોકાર્પણ કરશે. જ્યારે 9 એપ્રિલે તારક મહેતાની ટીમ પણ અંબાજી આવશે.
ભક્તોને નહી પડે અગવગડતા
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જે માટે વિવિધ સમિતિઓના અધિકારીઓને જે કામગીરી સોંપાઈ છે તે ચોકસાઈપૂર્વક કરવા, સમગ્ર પરિક્રમા મહોત્સવ દરમિયાન સ્વચ્છતા અંગે સવિશેષ ધ્યાન આપવા અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army