બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Odisha Train Accident Up To 10 Lakh Compensation For 35 Paisa Do you forget to take insurance while booking train tickets?
Pravin Joshi
Last Updated: 03:59 PM, 3 June 2023
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જેમાં અત્યાર સુધીમાં લગભગ 280 લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 900 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના જીવની ચોક્કસપણે કોઈ કિંમત નથી, પરંતુ શું તમે જાણો છો કે ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરાવતી વખતે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન મુસાફરોને વીમો પણ આપે છે. આ અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીનું કવર આપવાની જોગવાઈ છે.
ટિકિટ બુક કરતી વખતે વિકલ્પ ઉપલબ્ધ છે
જ્યારે પણ દેશમાં લાંબા અંતરની મુસાફરીની વાત આવે છે, ત્યારે લોકો સામાન્ય રીતે ટ્રેનની મુસાફરીને વધુ સારી માને છે. ટ્રેનમાં મુસાફરી કરવાના પણ ઘણા ફાયદા છે. ડિજિટલાઈઝેશનના યુગમાં ટિકિટ કાઉન્ટર પર સમય બગાડ્યા વિના ઘરે બેઠા ઓનલાઈન ટિકિટ બુક કરી શકાય છે. આમાં તમારી સીટ પસંદ કરવાથી લઈને તમને મુસાફરી દરમિયાન ખાવા-પીવાના વિકલ્પ આપવામાં આવે છે. તો સાથે સાથે ટિકિટ બુક કરતી વખતે તમને વીમો લેવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે, જેના દ્વારા મુસાફરી દરમિયાન કોઈપણ કટોકટીના કારણે થયેલા નુકસાનની સાથે જાન અને સંપત્તિના નુકસાનને પણ આવરી લેવામાં આવે છે.
સૌથી સસ્તું વીમા કવર
IRCTC માત્ર 35 પૈસાના લગભગ શૂન્ય પ્રીમિયમ પર ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ પ્રદાન કરે છે. આ વિકલ્પ વૈકલ્પિક હોવા છતાં તે મુસાફરો માટે સૌથી સસ્તું અને શ્રેષ્ઠ વીમા કવચ હોઈ શકે છે. જ્યારે તમે IRCTC વેબસાઇટ દ્વારા તમારી ટ્રેન ટિકિટ બુક કરો છો ત્યારે તમને ચુકવણી પ્રક્રિયા દરમિયાન મુસાફરી વીમાનો વિકલ્પ મળે છે. જો તમે તેને પસંદ કરો છો તો તમને આ વીમા કવર 35 પૈસામાં મળે છે. ખાસ વાત એ છે કે આ તે તમામ મુસાફરોને લાગુ પડે છે જેમની ટિકિટ એક PNR દ્વારા બુક કરવામાં આવી છે.
આ પરિસ્થિતિઓમાં વીમા કવચ ઉપલબ્ધ
ઈન્ડિયન રેલ્વે એન્ડ ટુરીઝમ કોર્પોરેશનની વેબસાઈટ મુજબ આ ઈન્સ્યોરન્સ માત્ર 35 પૈસા ખર્ચીને લઈ શકાય છે. આ હેઠળ આપવામાં આવેલા વીમા કવચમાં કાયમી આંશિક અપંગતા, કાયમી સંપૂર્ણ વિકલાંગતા, ઈજા કે ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં દાખલ થવા માટે પરિવહન ખર્ચ અને મુસાફરી દરમિયાન મૃત્યુનો સમાવેશ થાય છે. જો કે તે વિવિધ કેટેગરીમાં વહેંચાયેલું છે.
ઈજા માટે 2 લાખ... મૃત્યુ માટે 10 લાખ
ત્યાં જ આ પોલીસીનું વધુમાં વધુ કવર 10 લાખ સુધીનું છે. જેમાં તમને રેલ દુર્ઘટના અથવા કોઈ પણ અપ્રિય ઘટનાના કારણે મૃત્યુ અથવા સ્થાપી પૂર્ણ વિકલાંગતા માટે 10 લાખ સુધીનું કવર આપવામાં આવશે. સ્થાયી આંશિક વિકલાંગતા માટે 7.5 લાખ કવરેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઈજા માટે હોસ્પિટલમાં દાખ થવાનો ખર્ચ માટે 2 લાખનું કવરેજ આપવામાં આવશે. ત્યાં જ પાર્થિવ શરીરના પરિવાર માટે 10,000 સુધીનું કવરેજ આપવામાં આવશે.
જણાવી દઈએ કે ફક્ત IRCTC વેબસાઈટ અથવા મોબાઈલ એપના માધ્યમથી ટિકિટ બુક કરાવનાર દરેક ભારતીય નાગરિક આ વીમા કવર ખરીદા પાત્ર હશે. IRCTCની વેબસાઈટ અનુસાર, પોલિસીમાં ટ્રાવેલિંગ વખતે 'મોત', સ્થાયી પૂર્ણ વિકલાંગતા, સ્થાયી આંશિક વિકલાંગતા અને ઈજા અને નશ્વર અવશેષોના પરિવહન માટે હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ શામેલ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army