બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Nirmala Sitharaman in US talked about India has the second-largest Muslim population in the world, that population is only growing
Vaidehi
Last Updated: 05:06 PM, 11 April 2023
નાણામંત્રી નિર્મલા સીતારમણે US સ્થિત પીટરસન ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સમાં એક કાર્યક્રમ દરમિયાન ભારત માટે પશ્ચિમી દેશોની એક ધારણા અંગે ખુલાસો કર્યો છે. તેમણે ભારત માટેની નકારાત્મક પશ્ચિમી ધારણા પર તીખો જવાબ આપ્યો છે. સીતારમણે કહ્યું કે ભારતમાં મુસ્લિમો અને અલ્પસંખ્યકોની સ્થિતિ પાકિસ્તાનમાં રહેનારાં મુસલમાનોની તુલનામાં ઘણી સારી છે.
India has the second-largest Muslim population in the world, and that population is only growing: Nirmala Sitharaman while speaking to US Media.
— Deeksha Negi (@NegiDeekshaa) April 11, 2023
Indian FM urged investors to “come and look” rather than listen to perceptions built by those who haven't even visited on the ground. pic.twitter.com/7JnQp2afaQ
ખોટી ધારણાઓ પર ન કરો વિશ્વાસ..
નિર્મલા સીતારમણે ભારતમાં રોકાણ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું કે મને લાગે છે તેનો જવાબ એ રોકાણકારો પાસે છે જે ભારત આવી રહ્યાં છે. આ તે રોકાણકારો છે કે જે છેલ્લાં કેટલાક વર્ષોથી ભારત આવી રહ્યાં છે. કોઈપણ રોકાણકારો જે રોકાણ હાસિલ કરવામાં રૂચિ રાખે છે તેમને હું માત્ર એટલું જ કહીશ કે તેઓ એ જુએ કે ભારતમાં થઈ શું રહ્યું છે, નહીં કે કેટલાક લોકોની ખોટી ધારણાઓ પર વિશ્વાસ કરે જે ખુદ હકીકતથી અજાણ હોય છે અને માત્ર રિપોર્ટ તૈયાર કરી દે છે.
વિભાજનનાં સમયનો કર્યો ઉલ્લેખ
આ બાદ PIIIનાં અધ્યક્ષ એડમ એસ પોસને સીતારમણને પૂછ્યું કે પશ્ચિમી મીડિયામાં વિપક્ષી દળોનાં સાંસદોની સીટ ગુમાવ્યાની અને ભારતમાં મુસ્લિમ અલ્પસંખ્યકોની હિંસાનાં વિશે મોટાપાયે રિપોર્ટિંગ થઈ રહી છે. તેના પર નાણામંત્રીએ જવાબ આપ્યો કે દુનિયામાં ભારત એવો દેશ છે કે જ્યાં દ્વિતીય સૌથી મોટી આબાદી મુસ્લિમ છે અને તેમા વધારો જ થઈ રહ્યો છે. જો કોઈને લાગે છે કે ભારતમાં રાજ્યોનાં સમર્થનથી મુસલમાનોનું જીવન અઘરું બનાવી દીધું છે તો શું વર્ષ 1947ની તુલનામાં વધારો થયો હોત? સીતારમણે આ બાદ વિભાજનની વાતનો ઉલ્લેખ કરીને વિભાજન સમયનાં ભારત અને નવા બનેલા દેશ પાકિસ્તાનની તુલના કરી.
પાકિસ્તાનમાં લઘુમતીઓની સંખ્યામાં ઘટાડો
તેમણે કહ્યું કે અલ્પસંખ્યકોની સંખ્યામાં જો ક્યાંય ઘટાડો આવ્યો હોય તો તે પાકિસ્તાનમાં છે. પાકિસ્તાન કે જેણે પોતાને મુસ્લિમ દેશ જાહેર કર્યો છે અને જેણે અલ્પસંખ્યકોની રક્ષા કરવાનું વચન આપ્યું હતું આજે ત્યાં દરેક અલ્પસંખ્યક સમુદાયની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army