બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / સ્પોર્ટસ / Cricket / new player in Team India will not get jersey number 7! After Tendulkar, now BCCI has taken a big decision for Dhoni
Megha
Last Updated: 09:37 AM, 15 December 2023
મહેન્દ્ર સિંહ ધોનીનો જર્સી નંબર 7.. આ જર્સી નંબર હવે કોઈ પણ ભારતીય ક્રિકેટરની જર્સીમાં જોવા નહીં મળે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ સચિન તેંડુલકર બાદ હવે ધોનીનો જર્સી નંબર રિટાયર કરી દીધો છે. એટલે કે હવે જે પણ નવા ખેલાડીઓ આવશે એમને જર્સી નંબર 7 અને નંબર 10 નહીં મળી શકે.
MS Dhoni's No.7 jersey has been officially retired by the BCCI. (Indian Express). pic.twitter.com/jnty27dkJ4
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 15, 2023
એ વાત તો જાણીતી જ છે કે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના સંન્યાસ બાદ BCCIએ વર્ષ 2017માં જર્સી નંબર 10ને રિટાયર કરી દીધો હતો. એવામાં હવે ધોનીને જર્સી નંબરને રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ 2007 ટી20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ધોની એક જ એવો કેપ્ટન છે જેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ ICC ટ્રોફી જીતી હતી. એવામાં હવે ધોનીને ટ્રિબ્યુટ આપવા માટે BCCIએ આ નિર્ણય લીધો છે.
Jersey numbers retired from Indian cricket. [Express Sports]
— Johns. (@CricCrazyJohns) December 15, 2023
- Number 10 of Sachin Tendulkar.
- Number 7 of MS Dhoni. pic.twitter.com/bxYqG20NkI
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BCCI એ ભારતીય ક્રિકેટરોને આ વિશે સૂચના આપી દીધી છે કે હવે તેઓ જર્સી પર નંબર 7 નહીં લઈ શકે. ખાસ કરીને ડેબ્યૂ કરનારા ખેલાડીઓને જાણ કરી છે કે તેમની પાસે તેંડુલકર અને ધોની સાથે સંબંધિત નંબરનો વિકલ્પ નથી. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે નવા ખેલાડીઓને એમએસ ધોનીની 7 નંબરની જર્સી પસંદ ન કરવાનું કહેવામાં આવ્યું હતું. રમતમાં તેમના યોગદાન બદલ બોર્ડે ટી-શર્ટને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. હવે કોઈ નવો ખેલાડી નંબર 7ની જર્સી મેળવી શકશે નહીં.
MS Dhoni's number 7 Jersey retired from Indian cricket as a tribute to the legend. [Express Sports]
— Johns. (@CricCrazyJohns) December 15, 2023
- BCCI has informed the players in the national team. pic.twitter.com/u6pRjit6UP
તાજેતરમાં જ જ્યારે યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું ત્યારે તેને 19 નંબરની જર્સી જોઈતી હતી. જર્સી નંબર 19 દિનેશ કાર્તિકનો છે. જયસ્વાલ આ જર્સી નંબર સાથે રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે પરંતુ BCCI ના ઇનકાર બાદ તેણે 64 નંબરની જર્સી લીધી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army