બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Arohi
Last Updated: 11:38 AM, 2 March 2024
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન એમએસ ધોનીના કરિયરને લઈને હંમેશા અટકળો સામે આવતી રહે છે. વર્ષ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ પણ એમએસ ધોની સતત આઈપીએલનો ભાગ રહ્યા છે. તેમણે ગયા વર્ષે 2023માં પણ કેપ્ટન્સી કરી અને પોતાની ટીમને 5 વખત ચેમ્પિયલ બનાવી.
"Dhoni will play one more season after IPL 2024"
— Div🦁 (@div_yumm) March 1, 2024
~ MS Dhoni's friend Paramjit Singh pic.twitter.com/zwJY0WjML2
ગઈ સીઝન બાદ તે ઘુટણના દુખાવાથી પરેશાન રહ્યા. પરંતુ બાદમાં સર્જરી પણ કરાવી. પરંતુ હવે માહી એકદમ ફીટ છે અને મેદાન પર વાપસી કરવા માટે પણ તૈયાર છે. તેમણે હાલમાં જ આઈપીએલની તૈયારી શરૂ પણ કરી દીધી હતી અને પોતાના મિત્રોની સ્પોર્ટ્સ કંપનીનો લોગો પણ તેણો પોતાના બેટ પર લગાવ્યો હતો.
નજીકના મિત્રએ ખોલ્યો રાઝ
હવે તેમના નજીકના મિત્ર પરમજીત સિંહે એમએસ ધોનીના ફ્યૂચર પ્લાન પર નિવેદન આપ્યું છે. આમ તો ધોની ક્યારે શું નિર્ણય લેશે તે કોઈ પણ નથી જાણતું. એમએસ ધોનીએ અચાનક લગ્ન કરી લીધા હતા, અચાનક ટેસ્ટ ક્રિકેટ છોડી દીધી હતી અને અચાનક જ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું.
🔸IPL 2024 Final in Chepauk
— ѕяαανуα ραωαиιѕт ツ (@SraavyaPawanist) February 22, 2024
🔸#MSDhoni playing his last match
🔸CSK chasing the score
🔸Last over 6 runs require
🔸Dhoni on strike
🔸Dhoni Dhoni.....chants everywhere
🔸Dhoni hits a six & finishes off in his style
🔸CSK lift 6th IPL Trophy 🥺💛pic.twitter.com/gBrtfbejRL
હવે છેલ્લા બે ત્રણ દિવસોથી સતત અટકળો આવી રહી છે કે શું આ ધોનીની છેલ્લી સીઝન હશે? પરંતુ દર વર્ષે ધોની કંઈક અલગ કરે છે. એવું જ હવે ફરીથી થઈ રહ્યું છે. પરંતુ આ અટકળોને અમુક હદ સુધી ધોનીના મિત્ર પરમજીતે વિરામ આપ્યો છે.
માહીના નજીકના મિત્રએ શું કહ્યું?
એમએસ ધોનીના નજીકના મિત્ર પરમજીત સિંહે જણાવ્યું કે, "ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની એક હવે એક કે બે આઈપીએલ સીઝન રમશે. 2014ની સીઝન તેમની છેલ્લી સિઝન નહીં રહે. તે હજુ ફિટ છે અને સરળતાથી સીએસકે માટે રમી શકે છે."
વધુ વાંચો: હાર્દિક પંડ્યાના કોન્ટ્રાક્ટને લઈને મોટો વિવાદ: સામસામે આવ્યા ઈરફાન પઠાણ અને આકાશ ચોપડા
પરમજીત સિંહ એસએસ ધોનીના બાળપણના મિત્ર છે અને તેના કરિયરમાં આગળ વધવામાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. હાલમાં જ તેમની કંપની પ્રાઈમ સ્પોર્ટ્સના લોગોને જ માહીએ પોતાના બેટ પર લગાવ્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army