બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Dinesh
Last Updated: 05:39 PM, 25 February 2024
રેલવેના મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે ખાસ કાર્યો હાથ ધરાયા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સારી સુવિધાઓ, સલામતી, આરામદાયક અને નૈસર્ગિક મુસાફરીનો મુસાફરોને તદ્દન નવો અનુભવ પ્રદાન કરવા તથા સેવાઓમાં વૃદ્ધિ કરવાના ભાગ રૂપે ભારતીય રેલવેમાં એક આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે. વડાપ્રધાન આવતીકાલે 41 હજાર કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સમગ્ર દેશમાં 1309 રેલવે સ્ટેશનોના નવીનીકરણનો સમાવેશ કરવામાં આવ્યા છે, પશ્ચિમ રેલવેના 122 સ્ટેશનોનો સમાવેશ થાય છે. જેમાં 16 સ્ટેશન મહારાષ્ટ્રમાં, 89 સ્ટેશન ગુજરાતમાં, 15 સ્ટેશન મધ્ય પ્રદેશમાં જ્યારે 2 સ્ટેશન રાજસ્થાનમાં છે.
રેલવે સ્ટેશનોની કાયપલટ થશે
અમદાવાદ સહિત 9 સ્ટેશનોની કાયપલટ માટે શિલાન્યાસ કરવામાં આવશે. અમદાવાદ ડિવિઝનના 9 સ્ટેશનોમાં ચાંદલોડિયા 68 કરોડ, મણિનગર 17 કરોડ, વટવા 38 કરોડ, મહેસાણા જંકશન 53 કરોડ, ઊંઝા 30 કરોડ, સિદ્ધપુર 41 કરોડ, ભીલડી 11 કરોડ અને સામાખીયાળી 13 કરોડના ખર્ચે ડેવલપ કરાશે. જેમાં 233 કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવશે. રીડેવલોપમેન્ટ થનારા રેલ્વે સ્ટેશનો પર વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્ફોર્સ, એસી વેઇટિંગ રૂમ, સુવિધાજનક પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, વાઇ-ફાઇ સહિતની સુવિધાઓ ઉપલબ્ઘ કરવામાં આવશે. રાજકોટ ડિવિઝનના 12 સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. જેમાં રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, હાપા, પડધરી, કાનાલુસ, થાન અને ઓખા સ્ટેશનનો સમાવેશ થાય છે.
વાંચવા જેવું: ગુજરાતની પ્રથમ AIIMSનું રાજકોટમાં PM મોદીના હસ્તે લોકાર્પણ, બાદમાં યોજાયો ભવ્ય રોડ શો
અમદાવાદ ડિવિઝનના 9 સ્ટેશનો રિ ડેવલેપ કરાશે
મહત્વનું છે કે ગત વર્ષે ઓગસ્ટમાં વડાપ્રધાને ભારતીય રેલવેમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનું શિલાન્યાસ કર્યું હતું, જેમાં પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્ર હેઠળના 23 સ્ટેશનો સમાવેશ થયા હતા. જે પુનઃવિકાસનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તો અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન કે જેનો પ્રોજેકટ 4000 કરોડમાં નક્કી કરાયો હતો. જેમાં પહેલા થયેલા ટેન્ડરમાં 2400 કરોડને મંજૂરી અપાઈ છે. બાકી કામ તબક્કા વાર કરવામાં આવશે. જે કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરી નાખશે. આ પ્રોજેકટથી ભારતીય રેલવેમાં આમૂલ પરિવર્તન આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા