બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kriti Sanon also now on the path of Govinda Will enter in politics

મનોરંજન / 'જો કોઈ દિવસ મને એવું થશે કે...', શું કૃતિ સેનન પણ હવે ગોવિંદાના રસ્તે? કરશે રાજકારણમાં એન્ટ્રી!

Megha

Last Updated: 09:29 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનૌત, અરુણ ગોવિલ પછી ગોવિંદાએ ફરી રાજકારણમાં પ્રવેશ કર્યો છે. એવામાં હવે કૃતિ સેનનને પૂછવામાં આવ્યું કે શું તેણી ભવિષ્યમાં રાજકારણમાં પોતાનો હાથ અજમાવવા માંગશે કે નહીં.

લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આ વખતે બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. કંગના રનૌત અને અરુણ ગોવિલ બાદ ગોવિંદાએ ફરી એકવાર 28 માર્ચે રાજકારણમાં એન્ટ્રી કરી છે. 

હવે આ અભિનેત્રી સાઉથના સુપરસ્ટાર સાથે લગ્ન કરવા ઉત્સુક, સબંધોની અફવા વચ્ચે  મૌન તોડ્યું | kriti sanon says she would marry prabhas adipurush co actor  after daing rumors

બીજી તરફ ઉર્મિલા માતોંડકર થોડા વર્ષો પહેલા જ રાજકારણમાં આવી હતી. ભાજપે ટીવીના રામ એટલે કે અરુણ ગોવિલને મેરઠથી લોકસભા ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. હવે જ્યારે બોલિવૂડ સ્ટાર્સે રાજકારણમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું છે, ત્યારે એવી વાતો સંભળાય રહી હતી કે કૃતિ સેનન પણ રાજનીતિમાં એન્ટ્રી કરશે. હવે કૃતિ સેનને આ વિશે પોતાના વિચાર જણાવ્યા છે.  

જાણીતું છે કે કૃતિ સેનને વર્ષ 2014માં ફિલ્મ હીરોપંતીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને હવે કૃતિની ફિલ્મ ક્રૂ રિલીઝ થવાની છે જેમાં તે કરીના કપૂર ખાન અને તબ્બુ સાથે જોવા મળશે. કૃતિનો અભિનય ગ્રાફ ખૂબ જ સારો ચાલી રહ્યો છે અને હવે તે એક નિર્માતા પણ છે. એવામાં ચાહકો જાણવા માંગે છે કે શું કૃતિ ભવિષ્યમાં રાજકારણમાં પોતાનો હાથ અજમાવવા માંગશે કે નહીં. 

Topic | VTV Gujarati

આ વિશે વાત કરતાં કૃતિએ કહ્યું હતું કે 'મેં રાજકારણમાં જોડાવવા વિશે ક્યારેય વિચાર્યું નથી. હું ક્યારેય આ વિશે ક્યારેય એમ પણ વિચારતી નથી કે હું આવું કઈં કરીશ સિવાય કે તે અંદરથી આવે અથવા મને તેના વિશે મજબૂત લાગણી ન હોય. જો કોઈ દિવસ મારા હૃદયમાં એવું આવે કે હું કંઈક વધુ કરવા માંગુ છું, તો કદાચ (હું આવું વિચારી શકું છું)...'

વધુ વાંચો: 'ધ સાબરમતી રિપોર્ટ'નું કંપારી છૂટી જાય તેવું ટ્રેલર રીલીઝ, વિક્રાંત મેસી ગોધરાકાંડને કરશે ઉજાગર

કૃતિની ફિલ્મ ક્રૂ વિશે વાત કરીએ તો, તેનું દિગ્દર્શન રાજેશ કૃષ્ણન દ્વારા કરવામાં આવ્યું છે અને એકતા કપૂર અને રિયા કપૂર દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ દ્વારા ત્રણેય અભિનેત્રીઓ પહેલીવાર સાથે કામ કરી રહી છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ પણ છે અને કપિલ શર્માનો કેમિયો છે. આ ફિલ્મ 29 માર્ચે એટલે કે આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ