બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / સ્પોર્ટસ / indian cricket team captain rohit sharma reaction on ind vs sa world cup 2023 sports
Manisha Jogi
Last Updated: 09:17 AM, 6 November 2023
ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 243 રનથી હરાવ્યું છે. ભારતે સાઉથ આફ્રિકાને 327 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમ 27.1 ઓવરમાં 83 રન પર સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમે જીત મેળવ્યા પછી કેપ્ટન રોહિત શર્માએ પ્રતિક્રિયા આપી છે. રોહિત શર્માએ જણાવ્યું છે કે, જો તમે પહેલાની ત્રણ મેચ જોશો તો તમે જ કહેશો કે ટીમે પરિસ્થિતિ પ્રમાણે મેચ રમી છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં અમે પ્રેશરમાં રમી રહ્યા હતા, પરંતુ સારો સ્કોર કર્યા પછી બોલરોએ તમામ કસર પૂરી કરી દીધી છે.
🔸 Eighth successive win for India
— ICC (@ICC) November 5, 2023
🔸 Massive loss brings forth concerns for South Africa#CWC23 | #INDvSAhttps://t.co/ULKGWEHyMw
જીત પછી રોહિત શર્માનું નિવેદન
રોહિત શર્માએ જણાવ્યું કે, વિરાટ કોહલી પરિસ્થિતિ અનુસાર રમે છે. ભારતીય ટીમના બોલર યોગ્ય લાઈન અને લેંગ્થ પર બોલિંગ કરે છે, ત્યારપછી પિચ કામ કરે છે. રોહિત શર્માએ શ્રેયસ એય્યર બાબતે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું છે કે, ‘શ્રેયસ એય્યર વિચાર્યા પ્રમાણે નહીં રમે, તો પણ હું તેમને રમવા દઈશ. આ બાબતે ખેલાડી પર વિશ્વાસ રાખવાનો રહેશે. તમામ ખેલાડી દરરોજ સારું ના રમી શકે.’
શુભમન ગિલ અને જાડેજા બાબતે શું કહ્યું?
રોહિત શર્માએ જણાવ્યું છે કે, મોહમ્મદ શમી વાપસી પછી જે પ્રમાણે બોલિંગ કરી રહ્યા છે, તે તેમની માનસિકતા પ્રદર્શિત કરી છે. છેલ્લા ઘણા સમયથી શુભમન ગિલ સાથે બેટીંગ કરી રહ્યો છું. ભારતીય ટીમ ઓવર ટૂ ઓવર અને પરિસ્થિતિ પ્રમાણે રમવાની કોશિશ કરે છે. રવિન્દ્ર જાડેજા ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યા છે. આ ખેલાડીઓએ ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. જાડેજા ટીમ માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. છેલ્લી ઓવરમાં તેમણે રન કર્યા અને બોલિંગમાં 5 ખેલાડીઓને આઉટ કર્યા. રવિન્દ્ર જાડેજાને ખબર છે કે, તેમનો શું રોલ છે. આગામી દિવસો કેટલીક મહત્ત્વપૂર્ણ મેચ રમાશે, જેથી ટીમમાં કોઈ ફેરફાર કરવા માંગતા નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army