બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Dinesh
Last Updated: 08:25 PM, 10 March 2024
સૌથી પહેલા તો ધોરણ 10 અને 12ની પરીક્ષામાં બેસનારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને આ સાથે જ વાત કરીએ બોર્ડની પરીક્ષાના તથાકથિત હાઉની કે જેને સરેરાશ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની અનુભવતા હોય છે. એ વાતની પણ નવાઈ નહીં હોય કે આવતીકાલે પરીક્ષા હોય અને વિદ્યાર્થી કરતા તેના વાલીઓ ટેન્શનમાં હોય. સરકાર હવે શિક્ષણ નીતિમાં ફેરફાર કરી રહી છે, તબક્કાવાર તેની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે પણ સવાલ એ છે કે તમામ પરીક્ષા જેવી જ આ પરીક્ષા છે તો તેનો ડર કેમ છે?. એવું જરૂરી નથી કે બોર્ડની પરીક્ષામાં નિષ્ફળ જનારા જિંદગીમાં પણ નિષ્ફળ જ જશે, અને બોર્ડની પરીક્ષામા જ્વલંત સફળતા મળશે તો આગળ જતા જિંદગીમાં કોઈ નિષ્ફળતા નહીં જ મળે તેની પણ કોઈ ખાતરી નથી. હવે પરીક્ષા શરૂ થવાને ગણતરીની ઘડીઓ છે એટલે બિનજરૂરી ટેન્શન આમ પણ લેવાનું કોઈ કારણ નથી. પરીક્ષાના આગલા દિવસે સમગ્ર વિષયનું રિવિઝન કરવાની પણ જરૂર નથી કારણ કે એક દિવસના વાંચનમાં બહુ મોટો ફેર નહીં પડે. અનેક ટિપ્સ છે, અનેક પદ્ધતિઓ છે, જેનાથી વિદ્યાર્થીઓ કે વાલીઓનું માનસિક સંતુલન ખોરવી નાંખતો તણાવ દૂર થઈ શકે છે.
ભવિષ્યને દિશા આપતી પરીક્ષા
ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને દિશા આપતી પરીક્ષા છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીનો રસ્તો નક્કી થઈ શકે છે. ધોરણ 10ના વિદ્યાર્થી માટે બોર્ડની પરીક્ષા મહત્વનો તબક્કો છે. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પહેલા દબાણ અનુભવતા હોય છે. પરીક્ષા સમયે, પરીક્ષા પહેલા કે પછી ક્યારેક અનિચ્છનિય બનાવ પણ બને છે. વાલીઓ પણ બોર્ડની પરીક્ષાને લઈને સંતાનો માટે તાણ અનુભવે છે. વિદ્યાર્થી પરીક્ષાનો તાણ અનુભવવાને બદલે આનંદ માણે તે જરૂરી છે
કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા?
ધોરણ 10
9 લાખ 17 હજાર 687
ધોરણ 12 સામાન્ય પ્રવાહ
4 લાખ 89 હજાર 279
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ
1 લાખ 32 હજાર 73
નવી પરીક્ષા પદ્ધતિ કેવી છે?
હેતુલક્ષી પ્રશ્નો વધારાયા છે. વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ ઘટાડ્યું છે. પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓને છૂટછાટ મળી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયની પૂરક પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક મળશે. નવી પદ્ધતિમાં નબળા અને તેજસ્વી બંને વિદ્યાર્થીઓને એકંદરે ફાયદો
વિદ્યાર્થીઓની સાથે આ રીતે છે સરકાર
પેપરના આગલા દિવસે સરળતાથી રિવિઝન થાય તે માટે પ્લાન બનાવ્યો છે. દરેક વિષયનો એક વીડિયો વિષય તજજ્ઞો પાસે તૈયાર કરાવ્યો છે. વિષયની પરીક્ષાના આગલા દિવસે મોબાઈલ ઉપર લિંક મોકલાશે તેમજ રિવિઝનથી નબળા વિદ્યાર્થીઓને ફાયદો થશે. અમદાવાદ DEOએ વેબિનારના માધ્યમથી પરીક્ષા સાથી સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. વિદ્યાર્થીઓ ડર વિના પેપર કેવી રીતે લખી શકે તેનું માર્ગદર્શન અપાયું અને પરીક્ષા કેન્દ્રની PDF લિંક વિદ્યાર્થીઓને મોકલવામાં આવી છે. PDF લિંકમાં સ્કૂલનું નામ, સંચાલકનો સંપર્ક નંબર, ગૂગલ લિંક હશે. કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય તો હેલ્પલાઈન નંબર 1095 ઉપર મદદ માગી શકશે
વાંચવા જેવું: 'પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ, સેવા ઘટી' પૂર્વ ગૃહ રાજ્યમંત્રી જુઓ કેમ આવું બોલ્યા?
આ રીતે તણાવથી રહો દૂર
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army